SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ સાંખ્યદર્શનકાર મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારી લે તો આવતાં અન્ય દૂષણો : હવે જો સાંખ્યદર્શનકાર મુક્તિની અવ્યાખવૃત્તિતા સ્વીકારી લે તો શું આપત્તિ આવે ? તે બતાવતાં ટીકામાં ગ્રંથકારશ્રી કહે છે : જો સાંખ્યદર્શનકાર મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારે તો મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ જ દૂષણ છે. આશય એ છે કે સાંખ્યદર્શનકારના મત પ્રમાણે પ્રકૃતિ એક છે, અને બુદ્ધિ પ્રતિ આત્મા ભિન્ન છે. વળી જે બુદ્ધિ અપવર્ગની સાધના કરે તે બુદ્ધિથી પ્રકૃતિની મુક્તિ થાય છે; અને જે બુદ્ધિએ અપવર્ગના સંપાદન માટે પ્રયત્ન કર્યો નથી, તે બુદ્ધિથી પ્રકૃતિની મુક્તિ થઈ નહિ, તેથી એક જ પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણારૂપ બંને ધર્મ પ્રાપ્ત થાય છે; અને જે પુરુષની પ્રકૃતિ મુક્ત થઈ હોય તે પુરુષમાં મુક્તપણાનો વ્યવહાર સાંખ્યદર્શનકાર સ્વીકારે છે; કેમ કે તેઓ કહે છે કે પુરુષ નિત્ય મુક્ત હોવા છતાં જે પુરુષની બુદ્ધિએ અપવર્ગ સંપાદન માટે યત્ન કર્યો, તે પુરુષની બુદ્ધિથી પ્રકૃતિને અપવર્ગની પ્રાપ્તિ થઈ, તેથી તે બુદ્ધિના સ્વામી એવા પુરુષની મુક્તિ થઈ, એ પ્રકારનો વ્યવહાર થાય છે. હવે જો પ્રકૃતિ સર્વજનસાધારણ એક હોય અને તે પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણારૂપ બંને ધર્મો રહે છે, તેમ સ્વીકારવામાં આવે, તો તે પ્રકૃતિના સ્વામી એવા જેમ સંસારી જીવો છે, તેમ મુક્ત આત્માઓ પણ છે, તેથી સંસારી જીવોમાં જેમ અમુક્તપણાનો વ્યવહાર થાય છે, તેમ મુક્ત આત્મામાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવે; કેમ કે મુક્ત આત્માઓની પ્રકૃતિ અને સંસારી આત્માઓની પ્રકૃતિ એક છે, અને તે પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણારૂપ બંને ભાવો છે, તેથી મુક્ત આત્માઓમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવે, એ જ સાંખ્યદર્શનકારના મતમાં દૂષણ છે. વળી, મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારવાથી બીજો દોષ પણ પ્રાપ્ત થાય છે. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy