SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પાતંજલ યોગલક્ષણવિચારવાત્રિશિકા/બ્લોક-૨૮ સાંખ્યદર્શનકારના મતે પ્રકૃતિની મુક્તિ સ્વીકારવામાં આવે અને પ્રત્યાત્મભિન્ન બુદ્ધિને સ્વીકારવામાં આવે, તોપણ એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિનો અપરિહાર ઃ સાંખ્યદર્શનકારના મત પ્રમાણે પ્રકૃતિમાં બુદ્ધિનો લય થાય છે, ત્યારે દુઃખધ્વસ થાય છે. તેથી જે યોગીની બુદ્ધિ અપવર્ગસંપાદન માટે યત્ન કરે છે, તેની બુદ્ધિનો લય પ્રકૃતિમાં થાય છે, તેથી પ્રકૃતિને જ મુક્તિની પ્રાપ્તિ થઈ; છતાં સાંખ્યદર્શનકારના મતે જેમ કોઈ રાજાના મૃત્યોકસૈનિકો, યુદ્ધ કરીને જય પામે તો રાજા જય પામ્યો છે, તેમ વ્યવહાર થાય છે, પરમાર્થથી તો તે રાજાના સેવકોએ જય પ્રાપ્ત કર્યો છે; તેમ બુદ્ધિના વ્યાપારથી પ્રકૃતિની મુક્તિ થઈ, છતાં તેના સ્વામી એવા પુરુષને મુક્તિ પ્રાપ્ત થઈ તેમ ઉપચારથી કહેવાય છે. તેથી સાંખ્યદર્શનકારના મતાનુસાર પ્રકૃતિની મુક્તિ સ્વીકારવામાં આવે અને પ્રત્યાત્મ ભિન્ન બુદ્ધિને સ્વીકારવામાં આવે તોપણ પરમાર્થથી એકની મુક્તિમાં સર્વની મુક્તિને સ્વીકારવાની આપત્તિનો પરિહાર થતો નથી; કેમ કે પ્રકૃતિ એક છે અને તેમાં મુક્તપણા-અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ છે. આશય એ છે કે પ્રકૃતિની મુક્તિ થઈ તેમ કહીએ તો પ્રકૃતિ એક હોવાથી પ્રકૃતિની મુક્તિ થવાથી તે પ્રકૃતિના સ્વામી એવા બધા પુરુષની મુક્તિ થઈ, તેમ ઉપચાર કરવો પડે; કેમ કે પ્રકૃતિ એક છે અને તે મુક્ત થઈ તેથી બધા જીવોની પ્રકૃતિ મુક્ત થઈ, તેથી બધા જીવોમાં મુક્તપણાનો વ્યવહાર થવો જોઈએ, અને જો તેમ ન સ્વીકારો અને કહો કે જે પુરુષની બુદ્ધિએ સાધના કરી છે તેની અપેક્ષાએ જ પ્રકૃતિ મુક્ત છે, અન્ય પુરુષની અપેક્ષાએ પ્રકૃતિ મુક્ત નથી તો પ્રકૃતિને મુક્ત-અમુક્તરૂપ સ્વીકારવી પડે, અને પ્રકૃતિ એક હોય તો પ્રકૃતિ મુક્ત છે અને પ્રકૃતિ મુક્ત નથી, તેમ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ, માટે પ્રકૃતિમાં મુક્તપણા-અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ પ્રાપ્ત થાય. જો પ્રકૃતિને મુક્ત સ્વીકારીએ તો પ્રકૃતિના સ્વામી એવા બધા પુરુષને મુક્ત સ્વીકારવાની આપત્તિ બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં દૂર થઈ શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy