SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના આરંભમાં પણ નિશ્ચયનયથી યોગ છે, એ પ્રકારનું વ્યવસ્થાપન હોવાથી યોગનો આરંભ એ અલક્ષ્ય છે, એમ પતંજલિ ઋષિએ કહ્યું તે યુક્ત નથી. વળી શ્લોક-૩૨ની ટીકામાં કહ્યું કે વ્યવહારનયથી પણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનો સદ્દભાવ છે. એથી શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ આપેલી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં પતંજલિ ઋષિના યોગના લક્ષણની અવ્યાપ્તિ વજ્રલેપ જેવી જ છે, તેથી ગ્રંથકારશ્રી વડે દશમી યોગલક્ષણબત્રીશીમાં કહેવાયેલું ‘મોક્ષના મુખ્ય હેતુનો જે વ્યાપાર તે યોગ' એ પ્રકારના સ્વરૂપવાળું યોગનું લક્ષણ વ્યુત્પન્ન પુરુષોને અદુષ્ટપણાના સ્વીકાર દ્વારા પરમાનંદને કરનારું છે. . આ રીતે ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારબત્રીશીમાં કહેલા પદાર્થોનું અહીં સંક્ષિપ્ત દિગ્દર્શન કરાવેલ છે. તે અંગે વિશેષ સમજ ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારબત્રીશીની સંક્ષિપ્ત સંકલના વાંચવાથી પ્રાપ્ત થશે, અને ગ્રંથકારશ્રીની ટીકાના આધારે જે શબ્દશઃ વિવેચન કરેલ છે, તે વાંચતાં અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે. આ બત્રીશીના ગુજરાતી વિવરણના પ્રસંશોધન કાર્યમાં શ્રુતોપાસકસ્વાધ્યાયપ્રેમી સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે. અત્યંત નાદુરસ્ત તબિયત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે મારે સ્થિરવાસ કરવાનું બન્યું, અને પ્રજ્ઞાધન સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. નાદુરસ્ત તબિયતમાં પણ પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારબત્રીશીના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ સફળ થયો છે. ગ્રંથના વિવરણમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ક્ષતિ રહી હોય, કે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy