SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના તે તો દરેક આત્માની કર્મપ્રકૃતિ ભિન્ન ભિન્ન છે; અને જે પુરુષ સાધના કરે છે, પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થાય છે, અને જે પુરુષે સાધના કરી નથી, તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થતી નથી, તેમ અવશ્ય સ્વીકારવું જોઈએ. આ રીતે સાંખ્યદર્શનકાર સ્વીકારે તો શું પ્રાપ્ત થાય ? અને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સાંખ્યદર્શનકારને જે દોષો આપ્યા, તેનાથી શું ફલિત થાય છે ? તે શ્લોક-૨૯માં ગ્રંથકારશ્રી બતાવે છે; અને કહે છે કે પ્રધાનભેદ સ્વીકારાયે છતે પ્રધાન કર્મ થાય, અને બુદ્ધિગુણવાળો પુરુષ કથંચિદ્ ધ્રુવ અને કથંચિદ્ અધ્રુવ થાય, એથી જૈન દર્શન જય પામે. આ રીતે પતંજલિ ઋષિએ ‘ચિત્તવૃત્તિનિરોધ' યોગનું લક્ષણ કર્યું, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૧ થી ૧૦ સુધી કર્યું. ત્યારપછી શ્લોક-૧૧માં આપત્તિ આપી કે જો સાંખ્યદર્શનકાર આત્માને અપરિણામી માને તો તેના યોગમાર્ગ અને યોગનું લક્ષણ વગેરે અર્થ વગરના સિદ્ધ થાય; કેમ કે જો આત્મા અપરિણામી સ્વીકારવામાં આવે તો સંસારી આત્માને મોક્ષની પ્રાપ્તિ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. તેની ચર્ચા કરીને ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ સ્થાપન કર્યું કે આત્મા પરિણામી છે અને કથંચિદ્ ધ્રુવ અને કથંચિદ્ અધ્રુવ છે. ત્યારપછી પતંજલિ ઋષિએ જે ‘ચિત્તવૃત્તિનો નિરોધ' યોગનું લક્ષણ કર્યું, તે લક્ષણ જૈનદર્શનને અભિમત હોવા છતાં એ લક્ષણ સંપૂર્ણ લક્ષ્યમાં જતું નથી, તે બતાવીને સ્વઅભિમત યોગનું લક્ષણ જ યુક્તિયુક્ત છે, તે બ્લોક-૩૦ થી ૩૨માં ગ્રંથકા૨શ્રી કહે છે તે રીતે=શ્લોક-૨૯માં કહ્યું કે જૈનદર્શન જય પામે છે તે રીતે, પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ કાયરોધાદિમાં અવ્યાપ્ત છે, અને એકાગ્રતા અધિ સુધી રોધ વાચ્ય હોવાથી એકાગ્રતાની પૂર્વના ચિત્તમાં પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ અવ્યાપ્ત છે. و આ અવ્યાપ્તિના નિરાકરણ અર્થે વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો આરંભ છે, ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં વ્યુત્થાન છે, એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ છે, એ પ્રમાણે પતંજલિ ઋષિ કહે અર્થાત્ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત વિક્ષિપ્ત અવસ્થાવાળું હોવાથી ત્યાં યોગનો આરંભ છે, યોગ નથી, એથી યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં જતું નથી, તેમાં દોષ નથી. તો ગ્રંથકારશ્રી કહે છે કે યોગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy