SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭ મોક્ષમાં પૂર્વસ્વભાવ હોવા છતાં બુદ્ધિરૂપ કારણાંતરનો અભાવ હોવાને કારણે પુરુષને ભોગ નથી, તેથી પુરુષને કથંચિદ્ ભેદની પ્રાપ્તિ નથી, એમ સાંખ્યદર્શનકારના સમાધાનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : ગ્રંથકારના આ કથન સામે સાંખ્યદર્શનકાર કહે છે કે પુરુષનો મોક્ષ થયો એની પૂર્વે પુરુષનો જે સ્વભાવ હતો, તે જ સ્વભાવ પુરુષનો મોક્ષ થાય છે ત્યારે પણ છે, તેથી સ્વભાવનું કોઈ પરિવર્તન નથી, માટે પુરુષ કૂટસ્થ છે. અહીં પ્રશ્ન થાય કે જો પુરુષના સ્વભાવમાં કોઈ પરિવર્તન ન હોય તો મોક્ષની પ્રાપ્તિ પૂર્વે પુરુષ ભોગનું નિમિત્ત બનતો હતો અને મોક્ષની પ્રાપ્તિ પછી પુરુષ ભોગનું નિમિત્ત બનતો નથી, તે સ્વભાવભેદ વગર કઈ રીતે થઈ શકે ? તેથી સાંખ્યદર્શનકાર કહે છે પુરુષનો મોક્ષ થાય છે ત્યારે કારણાંતરનો અભાવ હોવાને કા૨ણે પુરુષને ભોગ નથી, તેથી પુરુષમાં ભોગનિમિત્તપણારૂપ અને ભોગઅનિમિત્તપણારૂપ ધર્મનો કોઈ ભેદ નથી. આશય એ છે કે પુરુષનો મોક્ષ થયા પૂર્વે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી અને તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હતું, તેથી પુરુષના પ્રતિબિંબને કા૨ણે બુદ્ધિમાં ચિત્રશક્તિ અભિવ્યક્ત થતી હતી, તેમાં પુરુષ નિમિત્ત બનતો હતો; અને જ્યારે સાધના કરીને પુરુષની મુક્તિ થાય છે, ત્યારે બુદ્ધિ પ્રકૃતિમાં વિલીન થાય છે, તેથી બુદ્ધિ વિદ્યમાન નહિ હોવાથી પુરુષનું તેમાં પ્રતિબિંબ પડતું નથી; તેથી બુદ્ધિરૂપ કારણાંતરના અભાવને કારણે પુરુષને ભોગ પ્રાપ્ત થતો નથી, માટે સંસારઅવસ્થામાં અને મુક્તઅવસ્થામાં પુરુષનો કોઈ ભેદ નથી. જેવો પુરુષ સંસારઅવસ્થામાં હોય છે, તેવો જ પુરુષ મુક્તઅવસ્થામાં હોય છે ફક્ત પુરુષ સંસારઅવસ્થામાં હોય છે; ત્યારે બુદ્ધિરૂપ કારણાંતર હોવાને કારણે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી પુરુષ ભોગનું નિમિત્ત બને છે; અને પુરુષ મુક્તઅવસ્થામાં હોય છે, ત્યારે બુદ્ધિરૂપ કારણાંતર નહિ હોવાને કા૨ણે બુદ્ધિના ભોગમાં પુરુષ નિમિત્ત બનતો નથી, માટે પુરુષમાં કોઈ અવસ્થાંતરની પ્રાપ્તિ નથી, તેથી પુરુષ કૂટસ્થંનિત્ય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy