SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકા/બ્લોક-૨૭ તો પછી પુરુષમાં ભવ અને મોક્ષ ઉભય સ્વભાવનો વિરોધ કેમ નહિ થાય ? અર્થાત્ પુરુષ પૂર્વે સંસારમાં હોય છે ત્યારે ભવસ્વભાવની, અને પછી મુક્ત થાય છે ત્યારે મુક્તસ્વભાવની પ્રાપ્તિ થાય છે; અને પુરુષને ફૂટસ્થ સ્વીકારીએ તો ભવ અને મોક્ષ ઉભય સ્વભાવનો વિરોધ કેમ નહિ થાય ? અર્થાત્ જો પુરુષમાં બે સ્વભાવ હોય તો પ્રથમ પુરુષ ભવસ્વભાવવાળો હતો અને પછી મોક્ષસ્વભાવવાળો થયો, તેથી પુરુષ પરિણામી છે, તેમ સિદ્ધ થાય છે, માટે પુરુષ કૂટસ્થ નથી તેમ માનવું જોઈએ. ઉભયરૂપ એકસ્વભાવ હોવાથી ભવ અને મોક્ષ સ્વભાવરૂપ કથંચિ ભેદની પ્રાપ્તિ નહિ થાય એ પ્રકારના સાંખ્યદર્શનકારના સમાધાનથી સાંખ્યદર્શનકાર દ્વારા વિકલ્પાંતરથી સ્યાદ્વાદના સ્વીકારની સંગતિ: અહીં સાંખ્યદર્શનકાર કહે કે પુરુષનું ઉભયએકસ્વભાવપણું છે અર્થાત્ પુરુષમાં પૂર્વમાં ભવસ્વભાવ હતો અને પછી મોક્ષસ્વભાવ છે, તેવું નથી, પરંતુ મોક્ષ થયા પૂર્વે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, અને સાધના કરીને પુરુષ મુક્ત થાય છે ત્યારે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું નથી, તે બંને અવસ્થામાં પુરુષનો ઉભયએકસ્વભાવ છે અર્થાત્ બુદ્ધિ વિદ્યમાન હોય તો પુરુષનું પ્રતિબિંબ થાય, અને બુદ્ધિ વિદ્યમાન ન હોય તો પુરુષનું પ્રતિબિંબ ન થાય, તેવો ઉભયએકસ્વભાવ પુરુષનો છે. તેથી પુરુષનો પૂર્વે ભવસ્વભાવ અને પછી મોક્ષસ્વભાવ છે એવું નથી, કે જેથી પુરુષને પરિણામી સ્વીકારવાની આપત્તિ આવે; પરંતુ ભવ અને મોક્ષ ઉભયરૂપ એકસ્વભાવ પુરુષમાં છે, તેથી ભવ અને મોક્ષ ઉભયએકસ્વભાવરૂપ પુરુષ અપરિણામી સિદ્ધ થાય છે, માટે પુરુષનું કૂટસ્થપણું છે. તેને ગ્રંથકારશ્રી કહે છે : આ રીતે ભૂયંતરથી=વિકલ્પાંતરથી, તારાથી સ્યાદવાદનો જ સ્વીકાર થાય છે, માટે પુરુષને ફૂટસ્થ નિત્ય સ્થાપન કરવા માટે તું=સાંખ્યદર્શનકાર, વૃથા શ્રમ કેમ કરે છે ? આશય એ છે કે સ્યાદ્વાદી પણ માને છે કે જીવનો ઉભયએકસ્વભાવ છે અર્થાત્ જ્યારે પુરુષ સંસારઅવસ્થામાં હોય ત્યારે કર્મના સંબંધને પામવાના સ્વભાવવાળો છે, અને તે વખતે પણ પરમાર્થ દૃષ્ટિથી જીવનો શુદ્ધ સ્વભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy