SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વારિસંશિકા/શ્લોક-૨પ ૧૧૯ વાય છે, એ પ્રકારના વ્યપદેશની જેમ, અહંકારાદિ સંજ્ઞાનોની=અહંકારાદિ બુદ્ધિઓની, ઉપપત્તિનું સુકરપણું હોવાથી તત્વાંતરનો વ્યય છે, એમ શ્લોક૨૪ સાથે સંબંધ છે. અહીં પ્રશ્ન થાય કે એક વાયુના વ્યાપારના ભેદથી વાયુ પાંચ પ્રકારનો છે, એમ વ્યપદેશ થાય છે, તેની જેમ એક બુદ્ધિમાં અહંકારાદિ ભેદની ઉપપત્તિ કઈ રીતે થઈ શકે ? તે સ્પષ્ટ કરતાં તથાદિ થી ગ્રંથકારશ્રી કહે છે – તથાદિ તે આ પ્રમાણે વૃદ્ધિદેવ .વ્યવિયતા, બુદ્ધિ જ અહંકાર વ્યાપારને ઉત્પન્ન કરતી અહંકાર એ પ્રમાણે કહેવાય છે, અને પ્રસુપ્ત સ્વભાવવાળી સાધિકાર એવી તે જ=સંસ્કારરૂપે રહેલા સ્વભાવવાળી અને પુરુષના અભિભાવના અધિકારવાળી એવી બુદ્ધિ જ, પ્રકૃતિ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે. આનાથી શું ફલિત થાય છે ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – વિલમ .... વનતિ | નિરર્થક એવા બુદ્ધિથી ભિન્ન અહંકારાદિ તત્વાંતરની કલ્પના વડે શું ? અર્થાત્ અહંકારાદિ તત્વાંતરની કલ્પના અનાવશ્યક છે. રૂતિ શબ્દ તથાદિ થી કરેલા કથનની સમાપ્તિ સૂચક છે. રપાઈ ભાવાર્થ :એક વાયુના વ્યાપારભેદથી વાયુના પાંચ ભેદની જેમ બુદ્ધિના વ્યાપારભેદથી અહંકાર અને પ્રકૃતિની ઉપપત્તિ : દેહમાં રહેલો વાયુ વાયુરૂપે એક હોવા છતાં ઊર્ધ્વગમન આદિ અલગઅલગ પાંચ કાર્યના લીધે વાયુના પ્રાણ, અપાન આદિ પાંચ ભેદ પડે છે, તેથી વાયુનાં પાંચ નામ કહેવાય છે. જેમ – (૧) હૃદયદેશમાં રહેનાર વાયુ પ્રાણ કહેવાય છે, (૨) મળદ્વારમાં રહેલ વાય અપાન કહેવાય છે, (૩) નાભિમાં રહેલા વાયુ સમાન કહેવાય છે, (૪) કંઠભાગમાં રહેલો વાયુ ઉદાન કહેવાય છે તથા (૫) સંપૂર્ણ શરીરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy