SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાલિંશિકા/બ્લોક-૨૫ રહેલો વાયુ વ્યાન કહેવાય છે. આ રીતે વાયુ એક જ હોવા છતાં શરીરના અલગ-અલગ ભાગમાં ગમન-આગમન આદિ સ્વરૂપ વ્યાપારના ભેદથી વાયુના પાંચ ભેદ પડે છે. તેની જેમ પુરુષના નામાંતરરૂપે રહેલી એવી બુદ્ધિના જ ભિન્ન ભિન્ન વ્યાપારને આશ્રયીને અહંકારાદિ સંજ્ઞાનોની ઉપપત્તિ થઈ શકે છે. તેથી દેહધારીમાં પુરુષ શબ્દથી વાચ્ય એવી જે બુદ્ધિ છે, તેનાથી અતિરિક્ત અહંકાર કે પ્રકૃતિ સ્વીકારવાની આવશ્યકતા નથી, વળી પુરુષ શબ્દથી વાચ્ય એવી બુદ્ધિ જ કઈ રીતે અહંકારાદિ રૂપે કહી શકાય ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – દેહધારીમાં પુરુષ શબ્દથી વાચ્ય એવી જે બુદ્ધિ પ્રતીત થાય છે, તે જ્ઞાનસ્વરૂપ છે. તે બુદ્ધિ જ ક્યારેક “આ કાર્ય હું કરું છું' એ પ્રકારના વ્યાપારને ઉત્પન્ન કરે છે, ત્યારે તે બુદ્ધિ જ અહંકાર છે, એમ કહી શકાય છે; અને તે દેહધારી પુરુષ કોઈ પ્રવૃત્તિ ન કરતો હોય ત્યારે તે પુરુષરૂપે પ્રતીત થતી બુદ્ધિ પ્રસુપ્ત સ્વભાવવાળી હોય છે અર્થાત્ કોઈ કાર્ય કરવામાં વ્યાપૃત્ત=વ્યાપારવાળી નથી, પરંતુ તે તે કાર્ય કરે તેવા સંસ્કારવાળી બુદ્ધિ પુરુષમાં વર્તે છે, અને તે પુરુષ ઉપર અધિકારવાળી હોય છે અર્થાત્ પુરુષનો અભિભવ કરવામાં સમર્થ હોય છે, તેથી પુરુષ ઉપર જેનો અધિકાર વર્તે છે, તેવી મોહના પરિણામવાળી બુદ્ધિ જ પ્રકૃતિ કહેવાય છે અર્થાત્ સાંખ્યદર્શનકારો જેને પ્રકૃતિ કહે છે, તે મોહના પરિણામથી આવિષ્ટ એવી બુદ્ધિ છે. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય છે કે દેહધારી પુરુષમાં જે જ્ઞાનની પ્રતીતિ થાય છે તે જ્ઞાનસ્વરૂપ પુરુષ છે, માટે બુદ્ધિ એ પુરુષનું જ નામ છે, એમ શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ કહેલ છે; અને પુરુષરૂપ બુદ્ધિ જ જ્યારે અહંકારાદિ પરિણામવાળી થાય છે, ત્યારે તે પુરુષરૂપ બુદ્ધિને જ અહંકાર કહેવાય છે; અને જ્યારે તે પુરુષરૂપ બુદ્ધિ કોઈ પ્રવૃત્તિ કરતી નથી, ત્યારે તે પ્રમુખ સ્વભાવવાળી છે અને મોહના પરિણામથી આકુળ છે, તેથી પુરુષના શુદ્ધ સ્વરૂપને અભિભવ કરવાના સ્વભાવવાળી છે, તેથી પુરુષ ઉપર જેનો અધિકાર વર્તે છે, તેવી મોહની પ્રકૃતિરૂપ બુદ્ધિને જ પ્રકૃતિ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy