SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારવાત્રિશિકા/બ્લોક-૨૧ ભાવાર્થ : શ્લોક-૧૧-૧માં પાતંજલ મતમાં આપેલા ત્રણ દૂષણોનું નિરાકરણ શ્લોક-૧૩ થી ૨૦માં પાતંજલ મતવાળાએ કર્યું, તેનાથી પ્રકૃતિનો મોક્ષ થાય, પુરુષનો નહિ, તેથી શ્લોક-૨૨માં કહેલા કથનની વૃથા સિદ્ધ થવાની આપત્તિ : પતંજલિ ઋષિએ ‘ચિત્તવૃત્તિનિરોધ યોગનું લક્ષણ કર્યું, તે યોગનું લક્ષણ ગ્રંથકારશ્રીને માન્ય છે; પરંતુ પાતંજલ મતાનુસાર આત્માને અપરિણામી માનવાથી યોગની સાધના અને તેના દ્વારા આત્માની મુક્તિ થાય છે, તે સંગત થશે નહિ. તેથી ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૧-૧૨ માં પાતંજલ મતમાં ત્રણ દૂષણો પ્રાપ્ત થાય છે, તે બતાવ્યાં. તે દૂષણોનું નિવારણ કરતાં કોઈ પાતંજલ મતાનુસાર પૂર્વપક્ષી કહે તે શ્લોક-૧૩ થી ૨૦ સુધી બતાવ્યું, એ સર્વ કેવલ્યપાદમાં=પાતંજલયોગસૂત્રના ચોથા કૈવલ્યપાદમાં, વ્યક્તિ છે અને તે યુક્તિયુક્ત છે, તેથી આત્માને અપરિણામી સ્વીકારવા છતાં યોગનું લક્ષણ ‘ચિત્તવૃત્તિનો નિરોધ” જે પતંજલિ ઋષિ કરે છે, તે સંગત છે અર્થાત્ તે યોગના લક્ષણથી યોગમાર્ગનો બોધ થાય છે, અને યોગમાર્ગનો બોધ થવાથી યોગમાર્ગમાં ઉચિત પ્રવૃત્તિ થાય છે; અને યોગમાર્ગમાં ઉચિત પ્રવૃત્તિ કરવાથી દુઃખની નિવૃત્તિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ સોપયોગી છે ઉપયોગી છે, નિરર્થક નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો તે બરોબર નથી; કેમ કે શ્લોક-૨૦માં સ્થાપન કર્યું એ રીતે પ્રકૃતિનો મોક્ષ થાય, પુરુષનો મોક્ષ થતો નથી; અને ઉપદેશશાસ્ત્રના શ્રવણથી કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ પ્રકૃતિને થાય છે, તેથી દુઃખની નિવૃત્તિ પણ પ્રકૃતિને થાય છે, પુરુષને થતી નથી. વળી પાતંજલ મતાનુસાર પુરુષ અબદ્ધ છે, તેથી સાધના દ્વારા પુરુષને મુક્તિનો યોગ નથી. અહીં કોઈ કહે કે ભલે પાતંજલ મતાનુસાર પુરુષ અબદ્ધ હોય, તોપણ યોગી સાધના કરે છે, ત્યારે પ્રકૃતિના કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થાય છે, તેથી પુરુષનો મોક્ષ થયો તેમ કહી શકાય તેથી ગ્રંથકારશ્રી કહે છે કે મુન્ ધાતુ બંધનથી વિશ્લેષના અર્થને બતાવનાર છે, અને પુરુષને બંધનથી વિશ્લેષ થયો ન હોય તો તે મુક્ત થયો છે, તેમ કહી શકાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy