SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧ પાતંજલ મતાનુસાર મોક્ષશાસ્ત્રના ઉપદેશનું યોગી શ્રવણ કરે તેનાથી V ઉપદેશાનુસાર યોગીની પ્રવૃત્તિ તેનાથી પ્રકૃતિના કર્તૃત્વના અભિમાનની નિવૃત્તિ તેનાથી પ્રકૃતિની સહજ શક્તિદ્વયનો ક્ષય તેનાથી પ્રકૃતિની મુક્તિ. પાતંજલ મતાનુસાર * કર્તા એવી બુદ્ધિગત સુખ-દુઃખનો પુરુષમાં ઉપચાર. * સંસારના સર્વ પ્રપંચની કર્તા બુદ્ધિ હોવા છતાં પુરુષ પ્રપંચનો કર્તા છે, તેવો પુરુષમાં ઉપચાર. * બુદ્ધિગત કર્તૃત્વના નાશથી પ્રકૃતિની મુક્તિ થવા છતાં પુરુષની મુક્તિ થઈ તેવો પુરુષમાં ઉપચાર. ॥૨૦॥ અવતરણિકા : શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિના મતાનુસાર “યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ” એ પ્રમાણે યોગનું લક્ષણ કર્યું. ત્યારપછી શ્લોક-૧૧માં કહ્યું કે (૧) આત્મા અપરિણામી હોતે છતે આ યોગનું લક્ષણ ઘટશે નહિ. (૨) વળી પાતંજલ મતાનુસાર પ્રકૃતિ એક છે, તેથી સાધનાથી એકની મુક્તિ થયે છતે સર્વની મુક્તિનો પ્રસંગ આવે કાં તો કોઈની મુક્તિ થાય નહિ. (૩) વળી પાતંજલ મતાનુસાર પ્રકૃતિ જડ છે, તેથી પ્રકૃતિ પુરુષના પ્રયોજનને કરનારી છે, તેમ કહેવું અયુક્તિવાળું છે. આ ત્રણે દૂષણોનું નિરાકરણ શ્લોક-૧૩ થી ૨૦ સુધી પાતંજલ મતાનુસાર કર્યું. હવે તે સર્વ કથનનું નિગમન કરીને તેમાં દૂષણ આપતાં ગ્રંથકારશ્રી કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy