SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૦ ૯૧ વસ્તુતઃ પ્રકૃતિ અચેતન હોવાથી પ્રકૃતિને કર્તુત્વનું અભિમાન થઈ શકે નહિ, પરંતુ પુરુષના પ્રતિબિંબને કારણે પ્રકૃતિમાં પ્રગટ થયેલી ચેતનાને કારણે પ્રકૃતિને કર્તુત્વનું અભિમાન થાય છે અર્થાત્ આ સંસારના પ્રપંચના કર્તુત્વનું અભિમાન થાય છે, અને તે કર્તુત્વના અભિમાનને કારણે દુઃખનો અનુભવ થાય છે; કેમ કે આ સંસારના પ્રપંચમાં ભિન્ન ભિન્ન ભવોમાં પરિભ્રમણ અને અનેક જાતના શારીરિક, માનસિક આદિ દુઃખોનો અનુભવ થાય છે, અને આ દુઃખની નિવૃત્તિ અને આત્યંતિકી કઈ રીતે થાય ? એવો અધ્યવસાય યોગીને મોક્ષશાસ્ત્રના ઉપદેશના શ્રવણથી થાય છે, આથી દુઃખનિવૃત્તિના ઉપાયને બતાવનાર શાસ્ત્રોના ઉપદેશની અપેક્ષા યોગીને યુક્તિવાળી છે. ફલિતાર્થ : આનાથી એ ફલિત થાય છે કે યોગીઓને જે મોક્ષશાસ્ત્રનો ઉપદેશ અપાય છે, તે ઉપદેશ તેમની બુદ્ધિને પ્રાપ્ત થાય છે, અને તે ઉપદેશના શ્રવણથી સંપન્ન થયેલી બુદ્ધિ મોક્ષઉપદેશક શાસ્ત્રાનુસારે પ્રવૃત્તિ કરીને પ્રકૃતિના કર્તુત્વનું અભિમાન નિવર્તન કરે છે, અને પ્રકૃતિને કર્તુત્વનું અભિમાન નિવર્તન થાય ત્યારે પ્રકૃતિની સહજ શક્તિવયનો ક્ષય થાય છે, તેથી પ્રકૃતિની મુક્તિ થાય છે. વળી કર્તા એવી બુદ્ધિમાં રહેલ સુખ-દુઃખ પુરુષમાં ઉપચાર કરાય છે, તેથી પુરુષ સુખી છે, દુઃખી છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે, અને બુદ્ધિમાં કર્તુત્વનો નાશ થાય છે ત્યારે પુરુષ મુક્ત થયો, એમ ઉપચારથી કહેવાય છે. અધ્યાત્મસાર અધિકાર-૧૩, શ્લોક-પરમાં કહેલ છે કે બુદ્ધિને પુરુષથી પોતાના ભેદના અગ્રહને કારણે “ચેતન એવો હું કરું છું' એવો સ્મય થાય છે, અને આ કર્તુત્વનો સ્મય નાશ થયે છતે અનાવચ્છિન્ન ચૈતન્યરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે, તેથી ફલિત થાય છે કે બુદ્ધિને કર્તુત્વનો સ્મય નાશ થવાથી પ્રકૃતિની મુક્તિ થાય છે. વળી અધ્યાત્મસાર અધિકાર-૧૩, શ્લોક-પ૩માં કહ્યું છે કે કર્તા એવી બુદ્ધિમાં રહેલ સુખ-દુઃખ પુરુષમાં ઉપચાર કરાય છે, તેથી પ્રપંચની કર્તા બુદ્ધિ છે, તોપણ પુરુષ પ્રપંચનો કર્યા છે, તેવો ઉપચાર થાય છે, અને બુદ્ધિનું કર્તુત્વ નાશ થાય છે ત્યારે પ્રકૃતિની મુક્તિ થાય છે; તોપણ પુરુષની મુક્તિ થઈ જાય તેમ ઉપચાર કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy