SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ભાવાર્થ : પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ મુક્તિની પ્રાપ્તિમાં પ્રકૃતિનું સામર્થ્ય હોતે છતે મોક્ષશાસ્ત્રના વૈયર્થ્યની આપત્તિના નિવારણ માટે પતંજલિ ઋષિની યુક્તિ શ્લોક-૧૯માં કહ્યું કે પ્રકૃતિની સહજ અનુલોમ અને પ્રતિલોમ બે શક્તિ છે, અને તે સહજ શક્તિદ્વયનો ક્ષય થાય ત્યારે પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી, એ રીતે મુક્તિની પ્રાપ્તિમાં પ્રકૃતિનું જ સામર્થ્ય છે, તેમ સિદ્ધ થાય છે; અર્થાત્ પ્રકૃતિ પ્રતિલોમ પરિણામનો આરંભ કરે છે ત્યારે પ્રકૃતિની સહજ શક્તિદ્વયનો ક્ષય થાય છે, તેથી મોક્ષ થાય છે; આમ સ્વીકારવાથી મુક્તિની પ્રાપ્તિમાં પ્રકૃતિનું જ સામર્થ્ય છે, તેમ સિદ્ધ થાય અને મુક્તિની પ્રાપ્તિમાં પ્રકૃતિનું જ સામર્થ્ય સ્વીકારવામાં આવે તો મોક્ષશાસ્ત્રનું વૈયર્થ માનવાનો પ્રસંગ આવે; આ દોષ નિવારણ માટે પતંજલિ ઋષિ કહે છે -: પુરુષ સાથે ભોક્તભોગ્યભાવ સંબંધવાળી એવી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન છે અને પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન થવાને કારણે દુઃખની ઉત્પત્તિ થાય છે, અને પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન નિવર્તન પામે તો દુ:ખની નિવૃત્તિ થાય; અને તે દુઃખની નિવૃત્તિ અર્થે મોક્ષશાસ્ત્રના ઉપદેશથી કર્તૃત્વના અભિમાનના વર્જનમાં યોગીનો પ્રયત્ન થાય છે માટે મોક્ષશાસ્ત્ર વ્યર્થ નથી. Jain Education International ― અહીં પ્રશ્ન થાય કે અચેતન એવી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન થઈ શકે નહિ, તેથી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન જ થાય નહિ, તો તેના વર્જનનો ઉપદેશ આપવાનું રહે નહિ, તેથી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન કેમ થાય છે ? તેની યુક્તિ પતંજલિ ઋષિ આપે છે. પ્રકૃતિ અને પુરુષનો અનાદિ ભોક્ત-ભોગ્યભાવસ્વરૂપ સંબંધ છે અર્થાત્ પુરુષ ભોક્તા છે અને પ્રકૃતિ ભોગ્ય છે, આ પ્રકારનો પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો ભોક્ત-ભોગ્યભાવ સંબંધ છે. આ રીતે પુરુષ અને પ્રકૃતિનો ભોક્તભોગ્યભાવ સંબંધ હોતે છતે વ્યક્ત ચેતનવાળી એવી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન થાય છે, અને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં જે પુરુષનું પ્રતિબિંબ છે, તે પુરુષમાં તે અભિમાનનો ઉપચાર થાય છે, તેથી તે અભિમાનને કારણે પ્રકૃતિને થતા દુ:ખનો અનુભવ યોગીને થાય છે, તેમ કહેવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy