SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧પ અશુદ્ધ હોવાથી ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બનતા નથી, તેથી રજોગુણ અને તમોગુણથી જગુભૂત એવું અંગિપણારૂપે રહેલું સત્ત્વસત્ત્વગુણની પ્રધાનતાવાળું એવું સત્ત્વ નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું સદા એકરૂપપણાથી પરિણમન પામે છે. જેમ નિશ્ચલ પ્રદીપની શિખા સતત દીવાની જ્યોતરૂપે પરિણમન પામે છે, તોપણ તે સદા એકરૂપે પરિણમન પામે છે, તેમ નિર્મળ એવું સત્ત્વ પણ સદા એકરૂપે પરિણમન પામે છે. અહીં પ્રશ્ન થાય કે નિર્મળ એવું સત્ત્વ નિશ્ચલ પ્રદીપની શિખાના આકારરૂપે સદા એકરૂપે કેમ પરિણમન પામે છે ? તેથી કહે છે -- ચિત્તરૂપી પુરુષની છાયાને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોવાને કારણે સદા પુરુષની છાયાને ગ્રહણ કરીને નિર્મળ એવું સત્ત્વ નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું સદા એકરૂપે પરિણમન પામે છે. વળી આ નિર્મળ ચિત્ત નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું સદા એકરૂપપણાથી પરિણમન પામતું મોક્ષપ્રાપ્તિ સુધી રહે છે; પરંતુ પુરુષ સાધના કરીને મુક્ત થાય છે, ત્યારે પુરુષની છાયા ચિત્તમાં નહિ પડતી હોવાને કારણે નિર્મળ એવું ચિત્ત નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું રહેતું નથી, પરંતુ પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. મોક્ષપ્રાપ્તિ સુધી આ નિર્મળ ચિત્ત રહે છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – જે પ્રમાણે લોહચુંબકના સંનિધાનમાં લોહનું આકર્ષણ થતું હોવાથી લોહમાં ચલનભાવ આવિર્ભાવ પામે છે, એ રીતે લોહચુંબકસ્થાનીય ચિદ્ર૫ પુરુષનું સંનિધાન હોવાથી લોહસ્થાનીય સત્ત્વનું અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે અર્થાત્ જેમ લોહમાં લોહચુંબકને કારણે ચલનક્રિયા અભિવ્યક્ત થાય છે, તેમ ચિકૂપ પુરુષના સંનિધાનને કારણે સત્ત્વમાં ચૈતન્ય નહિ હોવા છતાં અભિવ્યંગ્ય ચૈતન્ય છે, તે અભિવ્યક્ત થાય છે. ઉપરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy