SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૧૯ પ્રતિમામાં સંસ્કાર આધાન થયા છે, તે સંસ્કાર પણ પૂજાફળના પ્રયોજક છે. તેથી પૂજાફળના પ્રયોજક બે થયા : (૧) દેવતાનું જ્ઞાન, અને (૨) પ્રતિમામાં આધાન થયેલ સંસ્કાર. આ બન્ને પ્રયોજકોમાંથી કોઈ એક પણ પ્રયોજક હોય તો તૈયાયિક મતાનુસાર પૂજાફળની પ્રાપ્તિ થાય છે. વળી આ બન્ને કારણોમાં અનુગત કારણતા નથી; કેમ કે દેવતાનું જ્ઞાન, જ્ઞાનત્વેન કારણ છે, અને પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા આધાન થયેલા સંસ્કારો સંસ્કારત્વેન કારણ છે, અને તે બંનેને પૂજાફળના પ્રયોજક સ્વીકારીએ તો બે કાર્ય-કારણભાવ માનવારૂપ ગૌરવદોષ પ્રાપ્ત થાય. તે આ રીતે – જે સ્થાનમાં દેવતાના જ્ઞાનને કારણે પૂજાના ફળની પ્રાપ્તિ છે, તે સ્થાનમાં દેવતાનું જ્ઞાન અને પૂજાના ફળ વચ્ચે કાર્યકારણભાવ છે, અને જે સ્થાનમાં પ્રતિમામાં આધાન થયેલા સંસ્કારોને કારણે પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે, તે સ્થાનમાં સંસ્કાર અને પૂજાના ફળ વચ્ચે કાર્યકારણભાવ છે. તેથી બે પ્રકારના કાર્યકારણભાવ માનવા પડે, તે રૂપ ગૌરવની પ્રાપ્તિ થાય. અહીં વિશેષ એ છે કે નીલદંડ-પીતદંડ-કૃષ્ણદંડ અનુગત દંડત્વધર્મ છે. તેથી દંડત્વેન ઘટવેન એક કાર્યકારણભાવ છે, પરંતુ નીલ દંડત્વ-ઘટત્વ કે પીત દંડત્વ-ઘટત્વ કે કૃષ્ણ દંડત્વ-ઘટત્વ વચ્ચે જુદા જુદા કાર્યકારણભાવો સ્વીકારવામાં આવતા નથી; કેમ કે નીલ-પીત-કૃષ્ણ દંડ અનુગત એક દંડત્વધર્મ છે, અને ઘટના અર્થીને દંડમાં રહેલા નીલત્વ-પીતત્વ-કૃષ્ણત્વ આદિ ધર્મ સાથે કોઈ પ્રયોજન નથી, પણ ઘટનો અર્થી કોઈપણ દંડને ઘટના ઉપાયરૂપે સ્વીકારીને પ્રવૃત્તિ કરે છે; પરંતુ જેમ નીલ-પીત-કૃષ્ણદંડમાં દંડવ જાતિ અનુગત છે, તેમ પ્રસ્તુતમાં દેવનું જ્ઞાન અને પ્રતિમામાં આધાન થયેલા સંસ્કાર તે બંનેમાં અનુગત એવી કોઈ જાતિ નથી, પણ દેવના જ્ઞાનમાં જ્ઞાનત્વજાતિ છે, અને પ્રતિમામાં આધાન થયેલા સંસ્કારમાં સંસ્કારત્વજાતિ છે, અને તે રૂપે પૂજાફળની સાથે કાર્યકારણભાવ સ્વીકારીએ, તો જે સ્થાનમાં પૂજાફળની પ્રાપ્તિ પ્રત્યે સંસ્કાર કારણ છે પણ દેવતાનું જ્ઞાન કારણ નથી, તે સ્થાનમાં પ્રતિમામાં રહેલ સંસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy