SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯ e તે પ્રતિમાને સ્પર્શી જાય, આમ છતાં ‘આ પ્રતિમાને કોઈ અસ્પૃશ્ય પુરુષે સ્પર્શ કરેલ છે' એવું જ્ઞાન પૂજા ક૨ના૨ને થયું ન હોય, અને કોઈ પૂજા કરનાર શ્રાવકને ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવું જ્ઞાન હોય, અને ભગવાનની ભક્તિમાં તન્મયતા આવે તો પૂજા કરનાર શ્રાવકને તેનાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. વળી, ભગવાનની પ્રતિમાને કોઈ અસ્પૃશ્ય વ્યક્તિ સ્પર્શી ગયેલ હોય, અને તેના અશુદ્ધ પરમાણુ પ્રતિમામાં સ્પર્શેલા છે, તેવું જ્ઞાન થાય, તો ભક્તિવાળા શ્રાવકો તેની શુદ્ધિ માટે ઉચિત વિધિ કરે તો તે પણ ભગવાનની ભક્તિરૂપ છે. તેથી એ સિદ્ધ થાય કે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં સંસ્કાર પડે છે અને અસ્પૃશ્યના સ્પર્શથી તે સંસ્કાર નાશ પામે છે, તેમ સ્વીકારી શકાય નહિ. અહીં વિશેષ એ છે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પડે છે અને અસ્પૃશ્યના સ્પર્શથી તેનો નાશ થાય છે, તેમ સ્વીકારીએ તો ૧૦૦૦ વર્ષ પહેલાંની પ્રાચીન પ્રતિમા હોય, અને તે પ્રતિષ્ઠિત છે, તેવો નિર્ણય પણ હોય; આમ છતાં આ ૧૦૦૦ વર્ષમાં કોઈ અસ્પૃશ્ય તેને સ્પર્યું નથી, તેવો નિર્ણય કોઈ છદ્મસ્થ કરી શકે નહિ, અને જો તે ૧૦૦૦ વર્ષમાં કોઈ અસ્પૃશ્ય તે પ્રતિમાને સ્પર્શી ગયેલ હોય તો પ્રતિમામાં સંસ્કારનો નાશ થયેલ હોવાથી આરાધક જીવો ભક્તિના પ્રકર્ષથી તે પ્રતિમાની પૂજા કરતા હોય તોપણ પૂજાના ફળની પ્રાપ્તિ થાય નહિ, તેમ માનવાની આપત્તિ આવે. માટે અસ્પૃશ્યના સ્પર્શાદિથી સંસ્કારનો નાશ થાય છે, એમ જે નૈયાયિક કહે છે તે ઉચિત નથી. વળી તૈયાયિકે કહેલ કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સન્નિધાન થાય છે=દેવતાને ‘આ હું છું' એવું જ્ઞાન થાય છે, અને પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં શક્તિવિશેષરૂપ સંસ્કાર પડે છે, તેથી પૂજા કરનારને પૂજાફળની અનુપપત્તિ નથી, આ પ્રકારની તૈયાયિકની માન્યતામાં ગૌરવદોષ આવે છે, તે બતાવવા માટે અન્ય હેતુ કહે છે પ્રતિષ્ઠાવિધિથી થયેલ દેવતાનું ‘આ પ્રતિમા હું છું’, એ પ્રકારનું જ્ઞાન અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં આધાન થયેલા સંસ્કાર અનનુગત એવા તે બે પૂજાફળના પ્રયોજક સ્વીકારાયે છતે ગૌરવદોષ છે. આશય એ છે કે નૈયાયિકની માન્યતા પ્રમાણે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમાદિમાં દેવતાનું અહંકાર-મમકારરૂપ સન્નિધાન થાય છે, તે રૂપ દેવતાનું જ્ઞાન પૂજાફળનું પ્રયોજક છે, અને પ્રતિષ્ઠાવિધિ દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy