SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/બ્લોક-૧૮ પ૭ ઉપચારથી તે અધ્યવસાય પ્રાપ્ત થશે નહીં. માટે પ્રતિમાને અપ્રતિષ્ઠિત સ્વીકારવી પડશે. તેના સમાધાનરૂપે કહે છે - પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ઉપચાર કરતી વખતે શ્રાવકનો જે અધ્યવસાય હતો, તે અધ્યવસાયનો ત્યારપછી નાશ થવા છતાં પણ શ્રાવકના અધ્યવસાયથી આધાન કરાયેલ ઉપચરિત સ્વભાવવિશેષનો પ્રતિમામાં નાશ થતો નથી. તેથી એક વખત પ્રતિમામાં પ્રતિષ્ઠા થઈ હોય ત્યારપછી તે પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર થાય છે, તે સંગત છે. અહીં પ્રશ્ન થાય કે શ્રાવકના અધ્યવસાયથી આદિત ઉપચરિત સ્વભાવવિશેષ પ્રતિમામાં નાશ કેમ પામતો નથી ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે કે શાસ્ત્રમાં બે પ્રકારનો ઉપચરિત સ્વભાવ કહેવાય છે – (૧) સ્વાભાવિક અને (૨) ઔપાધિક. (૧) સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ : વીતરાગના સ્વરૂપને અવલંબીને શ્રાવક જ્યારે પોતાના આત્મામાં પરજ્ઞતા અને પારદર્શકતારૂપ વીતરાગનું સ્વરૂપ પોતાનામાં સ્થાપન કરે છે, તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. આશય એ છે કે જીવનો કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વભાવ છે, અને કેવળજ્ઞાન એટલે પરજ્ઞતા=પ્રકૃષ્ણજ્ઞતા અર્થાત્ પ્રકૃષ્ટજ્ઞાન, અને કેવળદર્શન એટલે પારદર્શકતા=પ્રકૃષ્ટદર્શકતા અર્થાત્ પ્રકૃષ્ટદર્શન, અને શ્રાવક મુખ્ય દેવતાને અવલંબીને પોતાના આત્મામાં પરમાત્માના સ્વરૂપનું પ્રતિષ્ઠાપન કરે છે ત્યારે, “તે હું છું=જે સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્મા છે તે હું છું તે સર્વજ્ઞ સર્વદર્શી હું છું' આ પ્રકારનો ઉપચાર પોતાના આત્મામાં કરે છે, તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે; કેમ કે પરજ્ઞતા અને પરદર્શકતા જીવનું સ્વરૂપ છે. તેથી તે ઉપચાર પાધિક નથી, પરંતુ સ્વાભાવિક છે; અને તે સ્વરૂપ વર્તમાનમાં પ્રગટ નથી, પરંતુ ઉપયોગ દ્વારા પોતાના આત્મામાં કલ્પાયેલું છે, તેથી ઉપચરિત છે. (૨) ઔપાયિક ઉપચરિત સ્વભાવ : મુખ્ય દેવતાને અવલંબીને પોતાના આત્મામાં પરજ્ઞતા-પરદર્શકતાને અવગાહન કરનારો બોધ ઉપચારથી પ્રતિમામાં સ્થાપન કરવામાં આવે છે, તે ઔપાધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy