SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૧૮ ૫૩ ભક્તિ થાય છે તે ભક્તિના બળથી તે શ્રાવક ક્રમે કરીને વીતરાગ-સર્વજ્ઞ થશે. તેથી પ્રતિમામાં ઉપચારથી સ્થાપન કરાયેલી વીતરાગતાને અવગાહન કરનારી બુદ્ધિ પરમપ્રતિષ્ઠાનો હેતુ છે, અને તેનો હેતુ આ મુખ્ય પ્રતિષ્ઠા છે, તેથી શ્રાવકના હૈયામાં વીતરાગતાને અવગાહન કરનારી બુદ્ધિ જ અનુપચરિત પ્રતિષ્ઠા છે. (ષોડશક-૮૫) મવરસેતુ' .... મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળા સર્વરસોમાં શ્રેષ્ઠ સમભાવરૂપ ઉત્તમ ભાવથી અર્થાત્ ભગવાનના વીતરાગતાદિ ભાવોને અવગાહન કરનાર એવા ઉત્તમ ભાવથી, જીવમાં રહેલા તામ્રસ્વરૂપની કાળે કરીને પરમ અપ્રતિબદ્ધ એવી ક્યારેય ન જાય એવી, સિદ્ધકાંચનતા થાય છે. આશય એ છે કે શ્રાવક મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનથી ભાવ કરે છે, તે ભાવ નવ પ્રકારના રસોમાં શ્રેષ્ઠ સમભાવરૂપ રસસ્વરૂપ છે, અને તે ભાવોથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને તેના કારણે શ્રાવકનો આત્મા વર્તમાનમાં જે તામ્રસ્વભાવવાળો છે, તે ક્રમે કરીને સુવર્ણસ્વભાવવાળો થશે અર્થાત્ સિદ્ધઅવસ્થાને પામશે. જેમ તામ્ર ઉપર રસકુંપી નાંખવામાં આવે તો તે તામ્ર સુવર્ણ બને છે, તેમ તામ્ર જેવા શ્રાવકના આત્મામાં પ્રતિષ્ઠાની ક્રિયાથી વીતરાગતાદિ ગુણોને અવગાહન કરનારો ભાવ પ્રગટે છે તેનાથી શ્રાવકનો આત્મા ક્રમે કરીને સુવર્ણરૂપ સિદ્ધઅવસ્થાને પામે છે. (ષોડશક-૮(૮) વવનાનત્ર'..... પ્રતિષ્ઠાની શાસ્ત્રાનુસારી ક્રિયાથી વિતરાગતાને અવગાહન કરનારો શ્રાવકનો ઉપયોગ હોવાને કારણે તે શ્રાવકના આત્મામાં વીતરાગતાને અભિમુખ ભાવોનાં પ્રતિબંધક કર્મોનો દાહ થાય છે, જેનાથી શ્રાવકનો આત્મા ક્રમે કરીને સિદ્ધઅવસ્થાને પામે છે; પરંતુ કેવળ ભાવરમેન્દ્રથી નહીં અર્થાત્ શાસ્ત્રાનુસારી ક્રિયાથી સહિત એવા વીતરાગતાને અવગાહિત કરનાર પોતાના ભાવથી ક્રમે કરીને સિદ્ધ અવસ્થાને શ્રાવક પામે છે. આથી પોતાના ભાવને કરવામાં સહકારીરૂપે બિંબગત પ્રતિષ્ઠા પણ ઇતિકર્તવ્યતા સહિત=જે પ્રમાણે શાસ્ત્રમાં પ્રતિષ્ઠા કર્તવ્ય કહી છે તે પ્રકારની વિધિની કર્તવ્યતાથી સહિત, સફળ છે. (ષોડશક-૮૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy