SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પર જિનભક્તિદ્વાત્રિશિકા/બ્લોક-૧૮ વિતરાગના ગુણોને સ્પર્શનારો ઉપયોગ વર્તે છે. તેથી વીતરાગતાના ભાવો સાથે કંઈક સદશ એવો સમાન રસ વર્તે છે. વળી શ્રાવકના આત્મામાં વીતરાગત્યાદિ ગુણોનું અવગાહન કરનારી બુદ્ધિ મુખ્ય પ્રતિષ્ઠા છે, તેમાં અન્ય યુક્તિ આપે છે -- શ્રાવક શાસ્ત્રવચનાનુસાર પ્રતિષ્ઠાની ક્રિયામાં પ્રવૃત્ત છે ત્યારે, તે શ્રાવકમાં ભગવાનના વચનાનુસાર શ્રુતજ્ઞાનનો ઉપયોગ વર્તે છે, અને તે શ્રુતજ્ઞાનરૂપી અગ્નિની ક્રિયા છે અર્થાત્ તે શ્રુતજ્ઞાનથી નિયંત્રિત પ્રતિષ્ઠાની ક્રિયા વર્તે છે; અને જેમ અગ્નિમાં ઈંધનને નાખવામાં આવે તો તે અગ્નિની ક્રિયાથી ઈંધન બળે છે, તેમ શ્રુતજ્ઞાનરૂપ અગ્નિની ક્રિયાથી આત્મામાં રહેલા કર્મરૂપી ઇંધનનો દાહ થાય છે, અને આત્મા કર્મમલથી કંઈક મુક્ત થાય છે; અને આવા કર્મમલથી કંઈક મુક્ત આત્માનું પૂર્ણ મુક્ત થવું તે પરમપ્રતિષ્ઠા છે, અને તે પરમપ્રતિષ્ઠાને હેતુપણું મુખ્ય પ્રતિષ્ઠામાં છે અર્થાત્ આત્મા વીતરાગ થશે તે સ્વરૂપ સ્વર્ણભાવની પ્રાપ્તિરૂપ પરમપ્રતિષ્ઠાનું હતુપણું મુખ્ય પ્રતિષ્ઠામાં છે અર્થાત્ શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાથી જે મલની શુદ્ધિ થઈ તે પ્રકર્ષને પામીને વીતરાગભાવની પ્રાપ્તિ કરાવશે. તેમાં શ્રાવકના આત્મામાં થયેલી પ્રતિષ્ઠાનું હેતુપણું છે. માટે પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકના હૈયામાં વીતરાગતાનું અવગાહન કરનારી બુદ્ધિની સ્થાપના તે મુખ્ય પ્રતિષ્ઠા છે. આ કથનમાં સાક્ષીરૂપે ષોડશક'ના ઉદ્ધરણો આપ્યા, તેનો ભાવ આ પ્રમાણે છે – વીનવુિં ..... પ્રતિષ્ઠા વખતે શ્રાવક સ્વઆત્મામાં પરમાત્માના ગુણોને અવગાહન કરનારી બુદ્ધિ કરે છે, તે બુદ્ધિ પરમ સમરસની પ્રાપ્તિનું બીજ છે અર્થાત્ વીતરાગતા, સર્વજ્ઞતા આદિ ભાવરૂપ પરમ સમરસની પ્રાપ્તિનું કારણ છે; તેમ સ્થાપ્યની સાથે પણ બાહ્ય ઉપચાર દ્વારા શ્રાવકના તે ભાવોનું બિંબમાં સ્થાપન, પરમ સમરસની પ્રાપ્તિનું કારણ છે; કેમ કે શ્રાવક જ્યારે પોતાના તે ભાવોને સ્થાપ્ય એવી પ્રતિમામાં ઉપચારથી આરોપણ કરે છે, તેના કારણે પ્રતિમાને જોઈને “મુખ્ય દેવને અવલંબીને જે ભાવો મારા હૈયામાં મેં કર્યા હતા, તે ભાવોથી યુક્ત આ પ્રતિમા છે” તેવી બુદ્ધિ થાય છે, અને તે પ્રતિમામાં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy