SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૧૮ ચિત્ત નાશ ન થાય તે સ્થાનમાં ઝાયડ્ર' શબ્દથી પ્રતિમા કરાવનાર શ્રાવકનું ગ્રહણ કરેલ, અને ‘વૈજ્ઞાનિક' શબ્દથી પ્રતિમા કરનાર શિલ્પીને ગ્રહણ કરેલ. તેમ અહીં પણ પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકનું ગ્રહણ થઈ શકે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. વિશેષ બહુશ્રુતો વિચારે. ભાવાર્થ :આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા – પૂર્વશ્લોકમાં કહ્યું કે નિષ્પન્ન થયેલા બિબની ૧૦ દિવસની અંદર પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેથી હવે પ્રતિષ્ઠા શું છે ? અને તેમાં મુખ્ય પ્રતિષ્ઠા કઈ છે ? અને ઉપચારથી પ્રતિષ્ઠા કઈ છે ? તેને સ્પષ્ટ કરતાં કહે છે – મુખ્ય પ્રતિષ્ઠા : જે તીર્થંકરની પ્રતિમા નિર્માણ કરવામાં આવી હોય તે મુખ્ય દેવ છે, અને તેમને ઉદ્દેશ્યપણારૂપે વિષય કરીને પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક પોતાના આત્મામાં વીતરાગત્વાદિ ગુણોનું અવગાહન કરનારી બુદ્ધિ કરે તે મુખ્ય પ્રતિષ્ઠા છે; કેમ કે પોતાના આત્મામાં તે ભાવોનો અબાધ હોવાને કારણે અર્થાતુ પોતાના આત્મામાં વીતરાગતાદિ ભાવો શક્તિરૂપે વિદ્યમાન હોવાને કારણે, શાસ્ત્રવચન અનુસાર સ્વઆત્મામાં પ્રતિષ્ઠાની ક્રિયા દ્વારા સ્વભાવની જ સ્થાપના થાય છે. આશય એ છે કે તીર્થકરના આત્મામાં જે વીતરાગતાદિ ભાવો છે તે જ વીતરાગતાદિ ભાવો પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકના આત્મામાં કર્મથી તિરોહિત અવસ્થારૂપે વિદ્યમાન છે, અને પ્રતિષ્ઠાની ક્રિયાથી પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકનો ઉપયોગ તે ભાવોની સાથે તન્મય ભાવરૂપે થાય છે. તેથી પ્રતિષ્ઠાકાળમાં વીતરાગના ગુણોને અવગાહન કરનારો શ્રાવકનો પોતાનો ઉપયોગ શ્રાવકના પોતાના આત્મામાં વીતરાગના સ્વરૂપનું પ્રતિષ્ઠાપન કરે છે અર્થાત્ તે ઉપયોગ વીતરાગતાનો આવિર્ભાવ કરતો નથી, પરંતુ વીતરાગતાના આવિર્ભાવને અનુકૂળ એવા અભિમુખભાવને પ્રગટ કરે છે. માટે પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકના આત્મામાં પરમાત્માના સ્વરૂપની મુખ્ય પ્રતિષ્ઠા છે; અને તેમાં મુક્તિ આપે છે કે શ્રાવકના ચિત્તમાં પ્રતિષ્ઠાની ક્રિયાથી સ્થાપ્ય એવા વીતરાગવિષયક સમરસની પ્રાપ્તિ છે અર્થાતુ વિતરાગમાં જેમ વીતરાગતાનો ભાવ વર્તે છે, તેમ શ્રાવકના હૈયામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy