SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૭ ટીકાર્ય : ત્યમુર્તિવિધિના ... મહાપ્રતિષ્ઠતિ” | || આ રીતે નિષ્પન્ન થયેલ બિંબની ઉપરમાં વિધિ બતાવી એ રીતે નિષ્પન્ન થયેલ બિંબની, પ્રતિષ્ઠા આપ્તપુરુષો વડેઃશિષ્ટ પુરુષો વડે, ત્રણ પ્રકારની કહેવાઈ છે. વળી આ પ્રતિષ્ઠા કેટલા દિવસની અંદર કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – દશ જ દિવસની અંદર જિનાલયમાં બિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ, એમ અવય છે; કેમ કે “દશ દિવસના અત્યંતરથી થવી જોઈએ.” એ પ્રકારે શાસ્ત્રવચનની ઉક્તિ છે. ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા કઈ છે ? તે સ્પષ્ટ કરે છે – વ્યક્તિ, ક્ષેત્ર અને મહાનામવાળી વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા એ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા છે, એમ અવય છે. “ત્તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. ત્યાં ત્રણ પ્રકારની પ્રતિષ્ઠામાં, વર્તમાન તીર્થંકરની પ્રતિષ્ઠા વ્યક્તિપ્રતિષ્ઠા છે, ઋષભાદિ ૨૪ તીર્થકરોની પ્રતિષ્ઠા ક્ષેત્રપ્રતિષ્ઠા છે અને ૧૭૦ તીર્થકરોની પ્રતિષ્ઠા સર્વ ક્ષેત્રોની અપેક્ષાએ મહાપ્રતિષ્ઠા છે. તેને કહે છે ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા છે તેને ષોડશક-૮ શ્લોક-૨-૩માં કહે છે – “એક વ્યક્તિ નામની પ્રતિષ્ઠા છે, બીજી ક્ષેત્ર નામની પ્રતિષ્ઠા છે અને ત્રીજી મહાનામની પ્રતિષ્ઠા છે. જે તીર્થંકર યહા=જે કાળમાં વર્તમાન તીર્થાધિપતિ છે, તેની તે કાળમાં આવે છે=વ્યક્તિપ્રતિષ્ઠા છે. એ પ્રમાણે આગમના જાણનારાઓ કહે છે.” (ષોડશક-૮(૨) વળી અહીં=પ્રતિષ્ઠાના વિષયમાં તથા=તે રૂપે=જે રૂપે વ્યક્તિપ્રતિષ્ઠા છે તે રૂપે ઋષભાદિ સર્વ જ તીર્થકરોની પ્રતિષ્ઠા, મધ્યમ જાણવીન્નક્ષેત્ર નામની પ્રતિષ્ઠા જાણવી. વળી ૧૭૦ તીર્થકરોની પ્રતિષ્ઠા ચરમ મહાપ્રતિષ્ઠા જાણવી.” (ષોડશક-૮-૩) I૧૭ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy