SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૭-૮ અહીં પ્રશ્ન થાય કે કાર્ય કરનારા સામાન્ય માણસોને પણ દાન-માનાદિથી સંતોષવા તે મોટા માણસને કઈ રીતે ઉચિત ગણાય ? તેથી કહે છે ૧૬ ભૃતકો પણ જિનાલયનિર્માણરૂપ ધર્મકૃત્યમાં નિમિત્ત કારણ છે, તેથી તેઓ ધર્મમિત્ર છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રકૃતિથી સુંદર એવા પુરુષોને ધર્મકાર્ય અર્થે યોજન કર્યા પછી ‘તેઓ મારા ધર્મમિત્ર છે', તેવી બુદ્ધિ કરીને પ્રથમ તેઓનું દાનાદિથી ઉચિત સન્માન ક૨વાથી કાર્યના પ્રારંભમાં જ તેઓને અત્યંત સંતોષ ઉત્પન્ન થાય છે. તેઓને થાય છે કે ‘આ ધર્મનું ઉત્તમ કાર્ય છે, માટે આવા શ્રીમંતો પણ અમને ધર્મમિત્ર તરીકે આદર-સત્કાર કરે છે.' આ રીતે તેઓને તેમના કાર્ય પ્રમાણે અલ્પ ધન આપવારૂપ વંચનના પરિણામના અભાવપૂર્વક તેઓને સંતોષ આપવાનો ભાવ કરવામાં આવે, તો તેનાથી તેઓમાં ભગવાનના શાસન પ્રત્યે બહુમાનના ભાવરૂપ ધર્મની ઉત્પત્તિ થાય છે અર્થાત્ પ્રકૃતિથી સુંદર એવા તે પુરુષો વિચારે છે કે ‘આ શ્રેષ્ઠીઓનો ધર્મ કેવી ઉચિત પ્રવૃત્તિપૂર્વકની ઉદારતાવાળો છે કે જેથી ધન ગ્રહણ કરીને અમે કાર્ય કરીએ છીએ, તોપણ ધર્મના કૃત્યમાં અમે નિમિત્ત છીએ, તેમ વિચારીને અમારો આદર-સત્કાર કરે છે,’ તેથી આ ધર્મ અત્યંત વિવેકવાળો છે તેવી બુદ્ધિ થવાથી તેઓને ધર્મ પ્રત્યે સુંદર આશય થાય છે, જેથી તેઓમાં પણ ધર્મની નિષ્પત્તિ થાય છે. IIII અવતરણિકા : જિનાલયના નિર્માણમાં આસન્નવર્તી જીવોને અને કાર્ય કરનાર જીવોને પીડા ન થાય તે માટે શું ઉચિત કરવું જોઈએ, તે શ્લોક-૫ અને શ્લોક-૭માં બતાવ્યું, અને જિનાલયના નિર્માણમાં સર્વ સામગ્રી ઉત્તમ ગ્રહણ કરવી જોઈએ તે શ્લોક-૬માં બતાવ્યું. હવે જિનાલયના નિર્માણમાં પોતે કઈ રીતે શુભાશય કરવો જોઈએ ? તે બતાવે છે -- શ્લોક ઃ स्वाशयश्च विधेयोऽत्रानिदानो जिनरागतः । अन्यारम्भपरित्यागाज्जलादियतनावता ।।८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy