SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ તાપસની અપ્રીતિના પરિહાર માટે વર્ષાઋતુમાં પણ ભગવાને વિહાર કર્યો. આ રીતે પરની અપ્રીતિના પરિવાર માટેનો પ્રયત્ન કરવામાં આવે તો સેવાતા ધર્માનુષ્ઠાનોનું શુભ ફળ પ્રાપ્ત થાય, નહીંતર ધર્મઅનુષ્ઠાનોનું પણ અશુભ ફળ આવે. IIી અવતરણિકા - પૂર્વશ્લોકમાં કહ્યું કે ધર્મઉધત પુરુષે પરપીડાના પરિહારમાં યત્નાતિશય કરવો જોઈએ; કેમ કે ધર્મમાં ઉદ્યત પુરુષનું તે મુખ્ય અંગ છે. તેથી હવે જિનમંદિર નિર્માણ અર્થે ભૂમિ ખરીદી કર્યા પછી તે મુખ્ય અંગના પાલન માટે શું કરવું ઉચિત છે? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - आसन्नोऽपि जनस्तत्र मान्यो दानादिना यतः । इत्थं शुभाशयस्फात्या बोधिवृद्धिः शरीरिणाम् ।।५।। અન્વયાર્થઃ યતા =જે કારણથી ધર્મની પ્રવૃત્તિમાં પરની અપ્રીતિના પરિવાર માટે ઉદ્યમ કરવો જોઈએ તે કારણથી તત્ર ત્યાં જિનમંદિરની ભૂમિની ખરીદીના વિષયમાં ગાડપિ આસન પણ બના=લોક નાવિના દાનાદિથી માત્ર માન્ય છે=આદર-સત્કાર કરવા યોગ્ય છે. રૂલ્યું આ રીતે જિનમંદિર નિર્માણ અર્થે ભૂમિ ખરીદી કર્યા પછી તે ભૂમિની આજુબાજુમાં રહેનારા લોકોનો દાનાદિથી સત્કાર કરવામાં આવે, તેનાથી ભગવાનની ભક્તિ થાય છે, અને તે ભગવાનની ભક્તિમયુક્ત ઔદાર્યની આ પ્રવૃત્તિ કરી એ રીતે માયાચા=શુભાશયની સ્ફાતિથી="જિનમંદિરના આસક્ષવર્તી જીવોને યોગબીજની પ્રાપ્તિ થાઓ’ એ પ્રકારના શુભાશયના વિસ્તારથી શારીરિપામ્ વથિવૃદ્ધિ =જિનમંદિર નિર્માણ કરતા શ્રાવકોને બોધિની વૃદ્ધિ થાય છે= સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે. પિતા શ્લોકાર્ચ - જે કારણથી ધર્મમાં પરની અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ, તે કારણથી ત્યાં જિનમંદિરના નિર્માણની ભૂમિની ખરીદીના વિષયમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy