SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/મ્લોક-૪ . માટે સમ્યગ્ યત્ન કરવામાં આવે એ રીતે, શુમાનુવન્યઃ=શુભ ફળ થાય. ત્ર=આમાં=પરની અપ્રીતિના પરિહારમાં વાદરાં પ્રભુ:=ઉદાહરણ પ્રભુ છે–વીર ભગવાન છે. ।।૪।। શ્લોકાર્થ : ધર્મમાં ઉધત પુરુષે કોઈને પણ અપ્રીતિ ન જ કરવી જોઈએ. એ રીતે શુભ અનુબંધ થાય. એમાં વીર ભગવાન ઉદાહરણ છે. II૪ ટીકા ઃ अप्रीतिरिति-धर्मोद्यतस्य परपीडापरिहारप्रयत्नातिशयो मुख्यमङ्गम्, यथा तापसाप्रीतिपरिहारार्थं भगवतो वर्षास्वपि गमनमिति भावः ॥४॥ ટીકાર્ય ઃ થર્મોઘતસ્ય ..... ભાવઃ ।। પરપીડાના પરિહાર માટેના પ્રયત્નનો અતિશય ધર્મમાં ઉદ્યત પુરુષનું મુખ્ય અંગ છે, જે પ્રમાણે તાપસની અપ્રીતિના પરિહાર માટે ભગવાનનું વર્ષાઋતુમાં પણ ગમન થયું, એ પ્રમાણે ભાવ ||૪|| ભાવાર્થ: ધર્મમાં ઉદ્યત માટે પરપીડાપરિહારનો યત્ન મુખ્ય અંગ : ધર્મમાં ઉદ્યમશીલ પુરુષે પરપીડાના પરિહારમાં પ્રયત્નનો અતિશય કરવો જોઈએ; કેમ કે ધર્મની પ્રવૃત્તિનું એ મુખ્ય અંગ છે. છે. આશય એ છે કે ધર્મની પ્રવૃત્તિથી કોઈને પણ જે અપ્રીતિ થાય છે, તેનાથી તેઓને દુર્લભબોધિત્વની પ્રાપ્તિ થાય છે, અને પરને થતી આ દુર્લભબોધિત્વની પ્રાપ્તિના પરિહાર માટે ધર્મઉદ્યત પુરુષ સમ્યગ્ યત્ન ન કરે તો તેઓને થતી દુર્લભબોધિત્વની પ્રાપ્તિમાં પોતે નિમિત્ત બને, અને કોઈના અહિતમાં પોતે નિમિત્ત બને તો પોતાની તે ધર્મપ્રવૃત્તિ પોતાના પણ અહિતનું નિમિત્ત બને. માટે ધર્મની પ્રવૃત્તિમાં પરપીડાના પરિહારના પ્રયત્નનો અતિશય મુખ્ય અંગ છે. તેમાં દષ્ટાંત બતાવે છે Jain Education International -- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy