SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૩-૪ જિનમંદિરથી ધર્મની વૃદ્ધિ થાય. તેથી વાસ્તુશાસ્ત્રની મર્યાદાના અતિક્રમ વગર ભૂમિની ખરીદી કરવી જોઈએ. વળી ધર્મશાસ્ત્ર કહે છે કે જે સ્થાનમાં જિનમંદિર કરવાથી આજુબાજુમાં વસતા અનેક જીવોને પ્રભુના માર્ગની પ્રાપ્તિ થાય તેવા સ્થાનમાં જિનમંદિર કરવું જોઈએ. આ બંને પ્રકારની શાસ્ત્રનીતિને સામે રાખીને ગૃહસ્થ ભૂમિ ખરીદવી જોઈએ. વળી તે ભૂમિ પરોપતાપરહિત હોવી જોઈએ અર્થાત્ આજુબાજુમાં રહેનારા, તેમ જ જેની પાસેથી ભૂમિની ખરીદી કરી છે, તે સર્વને પરોપતાપનો હેતુ ન થાય તે રીતે ભૂમિ ગ્રહણ કરવી જોઈએ. વળી ભવિષ્યમાં ભદ્રની સંતતિકકલ્યાણની પરંપરાનું કારણ બને તેવી ભૂમિ ગ્રહણ કરવી જોઈએ અર્થાત્ ઉત્તમ ભૂમિ હોય તો તે સ્થાનમાં નિર્માણ થયેલ જિનમંદિરથી અનેક જીવોને કલ્યાણની પરંપરા થાય, તેવી ભૂમિનો નિર્ણય કરીને ભૂમિ ખરીદવી જોઈએ. II3II અવતરણિકા - પૂર્વશ્લોકમાં કહ્યું કે જિનમંદિરના નિર્માણ અર્થે પરોપતાપરહિત ભૂમિ ખરીદવી જોઈએ. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જિનમંદિર નિર્માણ કરનાર પુરુષનો પર ઉપતાપ કરવાનો પ્રયત્ન નથી, પરંતુ જે જીવોને ઉપતાપ થાય છે, તે જીવોનો તેવો સ્વભાવ હોવાને કારણે જ જિનમંદિરના નિર્માણના પ્રસંગતે આશ્રયીને ઉપતાપને પામે છે. તેથી તેવા પરોપતાપના પરિહારાર્થે યત્ન કરવો જોઈએ, તેમ કેમ કહ્યું ? તેથી કહે છે – શ્લોક : अप्रीति व कस्यापि कार्या धर्मोद्यतेन वै । इत्थं शुभानुबन्धः स्यादत्रोदाहरणं प्रभुः ।।४।। અન્વયાર્થ :વઘતેન ધર્મમાં ઉધત પુરુષે સ્થાપિ કોઈને પણ ગતિ નૈવ = અપ્રીતિ ન જ કરવી જોઈએ. ત્યં આ રીતે પરની અપ્રીતિના પરિહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy