SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાઢિશિકા/શ્લોક-૧-૨ અહીં વિશેષ એ છે કે જિન એટલે સર્વકર્મ રહિત, મોહના સંસ્કારોથી નિરાકુળ ચેતનામય આત્મા. આવા જિનના સ્વરૂપનો બોધ કર્યા પછી તે બોધને અનુરૂપ જિનનું સ્વરૂપ પોતાના આત્મામાં પ્રગટ કરવા અર્થે જેઓ પ્રકર્ષથી ઉદ્યમ કરે છે, તેઓમાં પરમાર્થથી જિનની ભક્તિ છે, અને સામર્થ્યયોગકાળમાં યોગીઓ આવો ઉદ્યમ કરે છે; કેમ કે સામર્થ્યયોગકાલીન યોગીઓ સંપૂર્ણ સંગ વગરની અવસ્થામાં ઉપયુક્ત થઈને શુદ્ધ આત્મતત્ત્વને જોવા માટે યત્ન કરે છે, જે યત્ન વીતરાગભાવની પ્રાપ્તિમાં જ વિશ્રાંત થાય છે; અને વીતરાગની ભક્તિ પણ વીતરાગતાની પ્રાપ્તિને અનુકૂળ યત્ન સ્વરૂપ છે. જોકે સામર્થ્યયોગકાલીન યોગી સિવાય અન્ય યોગી આવી ભક્તિ કરી શકે નહીં, તોપણ શાસ્ત્રવચનાનુસાર પૂર્ણ આચારને પાળનારા યોગીઓ પણ સર્વ શક્તિના પ્રકર્ષથી જિન થવા માટે યત્ન કરે છે. તેથી તેઓમાં પૂર્ણ ભક્તિ છે, તેમ કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સામર્થ્યયોગકાલીન ભક્તિ, જેમ પૂર્ણ ભક્તિ છે, તેમ અપેક્ષાએ શાસ્ત્રયોગકાલીન ભક્તિ પણ પૂર્ણ ભક્તિ છે. વળી જે શ્રાવકો સંસારના સ્વરૂપને જાણે છે અને સંસારથી પર એવી મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવાના અર્થી છે, અને તેનો ઉપાય ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ છે, તેવું પણ તેમને જ્ઞાન છે, છતાં શક્તિની અલ્પતાને કારણે તે પ્રકારનો ઉદ્યમ કરવા સમર્થ નથી, તેથી પૂર્ણ ભક્તિની શક્તિ પ્રગટ કરવા અર્થે દ્રવ્યસ્તવ કરે છે, તેવા શ્રાવકોમાં ભગવાનની દેશથી ભક્તિ છે અર્થાત્ સંસારના વિષયો પ્રત્યે જે કંઈ રાગાંશ છે તે અંશમાં વીતરાગ પ્રત્યેની ભક્તિ નથી, પરંતુ જે અંશમાં ભગવાનના ગુણો પ્રત્યે અને સંયમ પ્રત્યે બહુમાન છે, તે અંશમાં ભગવાન પ્રત્યે ભક્તિ છે; અને તે ભક્તિની અભિવ્યક્તિ તેઓ દ્રવ્યસ્તવથી કરે છે. તેથી શ્રાવકમાં દેશથી ભક્તિ છે. આવા અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે દ્રવ્યસ્તવને કારણે ગૃહસ્થને દેશથી ભક્તિ છે અને તેની આ વિધિ છે. તેથી હવે દ્રવ્યસ્તવની વિધિ બતાવતાં પ્રથમ દ્રવ્યસ્તવને કરવાના અધિકારીનું સ્વરૂપ બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy