SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/સંકલન વળી, તે શ્રાવક જિનાલયના નિર્માણ અર્થે જે જગ્યાની ખરીદી કરે, તેની આસપાસમાં વસતા લોકોને અપ્રીતિ ન થાય માટે તે લોકોનો દાનાદિ દ્વારા સત્કાર કરે અને કહે કે “મારે આ સ્થાનમાં જિનાલયનું નિર્માણ કરવું છે અને તમે તેની નજીકમાં રહો છો માટે પુણ્યશાળી છો, તેથી ભક્તિપાત્ર છો.” તેમ કહીને તેમનો આદર-સત્કાર કરે, જેથી તે જીવોમાં જે યોગ્ય જીવો છે, તેમને બોધિ આદિની પ્રાપ્તિ થાય. વળી ભગવાનની ભક્તિ અર્થે નિર્માણ કરાતા જિનાલયમાં સર્વ સામગ્રી પણ શ્રેષ્ઠ ગ્રહણ કરે, પરંતુ તુચ્છ અને અસાર સામગ્રી ગ્રહણ ન કરે. વળી જિનાલયના નિર્માણના કાર્યમાં પ્રકૃતિથી સુંદર હોય એવા માણસોનું નિયોજન કરવું જોઈએ અને તેમને પણ સંતોષ થાય એ રીતે ધનાદિ આપવાં જોઈએ; કેમ કે ભગવાનની ભક્તિમાં તેઓ નિમિત્ત હોવાથી ધર્મમિત્ર છે. વળી ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક “હું ગુણવાન એવા ભગવાનની ભક્તિ કરીને સંસારસાગરથી તરું' એ પ્રકારનો શુભાશય જિનાલય નિર્માણ કરતી વખતે કરવો જોઈએ, પરંતુ આલોકની ખ્યાતિ અને પરલોકની આશંસાથી જિનાલય નિર્માણ કરવું જોઈએ નહિ. વળી ભગવાનની ભક્તિમાં અનુપયોગી હોય તેવી કોઈ આરંભની પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, પરંતુ યતનાપૂર્વક જિનાલય નિર્માણ કરવું જોઈએ. આ રીતે જિનાલયના નિર્માણની ક્રિયા પ્રતિદિન યતનાના પરિણામથી યુક્ત અને ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક કરવામાં આવે તો ભાવયજ્ઞ બને છેઃકર્મને નાશ કરવા માટે ભાવયજ્ઞ બને છે. જિનાલય નિર્માણ થયા પછી ત્યાં જિનબિંબ સ્થાપન કરવા માટે તરત બિંબ નિર્માણ કરવું જોઈએ, અને તે બિંબ નિર્માણ કરવા માટે શક્ય હોય તો વ્યસન વગરના શિલ્પીને કાર્ય સોંપવું જોઈએ. વળી પોતાના વૈભવને અનુરૂપ શિલ્પીની પૂજાપૂર્વક જિનબિંબનિર્માણનું કાર્ય શિલ્પીને સોંપવું જોઈએ, અને કહેવું જોઈએ કે “ભગવાનની પ્રતિમા તમે નિર્માણ કરો છો, માટે તમે પણ અમારા માટે પૂજાપાત્ર છો.’ આ રીતે કરાયેલી શિલ્પીની પૂજા પણ ભગવાનની ભક્તિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy