SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાäિશિકા/સંકલના વિશ્રાન્ત થાય છે. વળી આ રીતે શિલ્પીની પૂજા કરવાથી અને જિનાલય નિર્માણ કરનારા ધર્મમિત્ર સાથે ઉચિત વ્યવહાર કરવાથી અને જિનાલયના નિર્માણના સ્થાનની આજુબાજુમાં વસનારાઓનો આદર-સત્કાર કરવાથી તે સર્વના ચિત્તમાં જે ઉત્સાહ થાય છે, તે બિંબના નિર્માણનું કારણ હોવાથી તે સર્વના ચિત્તના ઉત્સાહો બિબની અતિશયતાના જ કારણ છે; કેમ કે બિંબનિર્માણનું પ્રયોજન ભગવાનની ભક્તિ છે, અને આ નિમિત્તને પામીને જેઓને ભગવાનની ભક્તિ થશે તે સર્વ જિનબિંબનિર્માણનું જ અંગ બનશે. માટે બિંબ નિર્માણ કરનાર શિલ્પીમાં અપ્રીતિ ન થવી જોઈએ અને શિલ્પીની પ્રીતિ અર્થે જ પ્રતિમાની ત્રણ અવસ્થાને આશ્રય કરીને શિલ્પીના ત્રણ અવસ્થાગત દોહદો પૂરવા જોઈએ, જેથી ભગવાનની ભક્તિ થાય અને શિલ્પીને અપ્રીતિનો પ્રસંગ ન આવે. વળી પોતાની સંપત્તિથી જિનબિંબ નિર્માણ થતું હોય, એમાં અન્યની સંપત્તિ પણ ભેગી હોય તો તે સંપત્તિથી થતા પુણ્યનું ફળ તેને થાઓ” તેવો શુભાશય કરવો જોઈએ, જેથી ભાવની વિશુદ્ધિ થાય, અને જિનબિંબ નિર્માણ થયા પછી પ્રતિમામાં મંત્રન્યાસ કરવા જોઈએ. વળી આ પ્રતિમા સુવર્ણની છે કે રત્નની છે, તેનાથી તેમાં વિશેષતા નથી, પરંતુ શાસ્ત્રવચનાનુસાર વિધિના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાથી થતા ભાવને કારણે પ્રતિમાની વિશેષતા છે. તેથી શ્રાવકે પ્રતિમાનિર્માણ પછી તે પ્રકારની વિધિમાં યત્ન કરવો જોઈએ જેથી બિંબમાં વિશેષતા પ્રાપ્ત થાય; અને આ રીતે નિર્માણ કરાયેલું બિંબ લોકોત્તર છે, અને શાસ્ત્રવિધિનું જેમાં પૂર્ણ અનુસરણ નથી, એ બિંબનું નિર્માણ લૌકિક છે. લોકોત્તર બિંબનું નિર્માણ મોક્ષનું કારણ છે અને લૌકિક બિંબનું નિર્માણ અભ્યદયનું કારણ છે. આ રીતે વિધિપૂર્વક નિર્માણ થયેલી બિંબની દશ દિવસમાં પ્રતિષ્ઠા કરવી જોઈએ. તે પ્રતિષ્ઠા વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠારૂપ ત્રણ ભેદવાળી છે. આ રીતે બિંબમાં પ્રતિષ્ઠાનું કથન થવાથી જિજ્ઞાસા થાય કે પ્રતિષ્ઠા શું છે ? તેથી શ્લોક-૧૮માં ગ્રંથકારશ્રી પરમાર્થથી પ્રતિષ્ઠાનું સ્વરૂપ બતાવે છે. જે ભગવાનની પ્રતિમા નિર્માણ કરવાની હોય તે પરમાત્માના સ્વરૂપનું આલંબન કરીને પ્રતિષ્ઠા કરાવનારનો જે વીતરાગાદિ ગુણોને અવગાહન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy