SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૨૪ કરવાથી પણ ભગવાન પ્રત્યેના આદરનો અતિશય થાય છે, જેથી સમ્યજ્ઞાન પ્રત્યેના પક્ષપાતને કારણે પોતાને પણ તેની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત એવાં કર્મોનો નાશ થાય છે. વળી ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારથી ભગવાનની વિરતિની પરિણતિ પણ લોકોત્તમ હોય છે, કેમ કે ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારથી સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવ પ્રત્યે અપ્રતિબદ્ધ માનસવાળા હોય છે, જેથી ભગવાનનું ચારિત્ર અસંગભાવની અવસ્થાવાળું હોય છે. આ પ્રકારની ભગવાનની અવસ્થાનું સ્મરણ થવાથી અને તેમના ગુણોનું કીર્તન કરવાથી તે અવસ્થા પ્રત્યેનો પક્ષપાત વધે છે, જેથી તે અવસ્થાની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવાં કર્મોનો ક્ષય થાય છે. વળી ભગવાન મોહનો સર્વથા નાશ કરીને જ્યારે કેવળજ્ઞાન, કેવળદર્શન પામે છે, તે વખતની ભગવાનની અવસ્થાને યાદ કરવાથી મોહથી સંપૂર્ણ અનાકુલ જ્ઞાનમય એવી ભગવાનની અવસ્થા પ્રત્યે ભક્તિ થાય છે, જેથી તે અવસ્થાની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવાં કર્મોનો નાશ થાય છે. વળી પૂર્વમાં વર્ણન કરી એ ભગવાનની અવસ્થાઓ પ્રત્યે જેટલા બહુમાનથી ભક્તિનો અતિશય થાય તે પ્રમાણે સંસાર પરિમિત થાય છે. તેથી આ ગુણોથી ગંભીર એવાં સ્તોત્રોથી યુક્ત એવી ભગવાનની પૂજા કરવી જોઈએ. વળી શ્રાવક પોતે રાગ, દ્વેષ અને મોહને વશ થઈને જે સંસારની પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પાપોની ભગવાનની સાક્ષીએ નિંદા થાય તેવા પ્રકારનાં સ્તોત્રોથી યુક્ત ભગવાનની પૂજા કરવી જોઈએ. આ પ્રકારનાં ભગવાનના ગુણોને કહેનારાં અને પોતાના દોષોની ગહ કરનારાં સ્તોત્રો બોલવાથી ભગવાનના ગુણો પ્રત્યેનો પોતાનો ભાવ અભિમુખ અભિમુખતર થતો જાય છે, અને પોતાનાં દુષ્કતો પ્રત્યેનો ભાવ વિમુખ વિમુખતર થતો જાય છે; વળી માત્ર આ સ્તોત્રો બોલવાથી ભગવાનની ભક્તિ થતી નથી, પરંતુ સમીચીન એવી એકાગ્રતાપૂર્વક સ્તોત્રો બોલવાથી થાય છે અર્થાત્ ભગવાનના ગુણોને કહેનારાં સ્તોત્રો બોલતી વખતે તે તે ભાવો પ્રત્યેનો બદ્ધરાગ ઉલ્લસિત થાય, અને પોતાનાં પાપોની નિંદા કરતી વખતે પાપોને નહિ કરવા પ્રત્યેનું બદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy