SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૪ રિણામદા:' - અહીં ‘મતિથી અન્ય ગુણોના પરિણામ ગ્રહણ કરવા. વસ્ત્રજ્ઞાનના ક્વ' – અહીં ‘વિરથી અનંત સુખનું ગ્રહણ કરવું. ભાવાર્થ – પૂજાકાળે ઉત્તમ ભાવ અર્થે બોલાતા સ્તોત્રોનું સ્વરૂપ : ભગવાનનું શરીર ૧૦૦૮ લક્ષણોથી યુક્ત છે. તે સૂચિત કરે છે કે પૂર્વભવમાં સાધના કરીને ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકથી સર્વ લક્ષણોથી યુક્ત એવા ઉત્તમ શરીરવાળા તીર્થકરના આત્મા છે, અને તે રીતે સ્તુતિ કરવાથી “ભગવાન મહાપુરુષ છે' તેવા પ્રકારની વિશિષ્ટ બુદ્ધિ થવાથી તેમના પ્રત્યેની ભક્તિ અતિશયિત થાય છે. વળી ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારે દુઃખે કરીને વારણ કરી શકાય એવા પરિષહ અને ઉપસર્ગને જય કરનારા તેમના આચારો હોય છે. તેથી આવા ઉત્તમ આચારો દ્વારા ભગવાનની ઉપસ્થિતિ થવાને કારણે ભક્તિ અતિશયિત થાય છે અને તે આચારો પ્રત્યેનો પક્ષપાત વધે છે. વળી ભગવાનને છઘસ્યકાળમાં યોગમાર્ગની શ્રદ્ધા સ્થિર હોય છે અર્થાત્ આ યોગમાર્ગના સેવનથી પ્રાપ્ત થતી સર્વકર્મરહિત અવસ્થા આત્માનું એકાંત હિત છે, અને યોગમાર્ગની વિપરીત પ્રવૃત્તિથી આત્માનું એકાંત અહિત છે, તેવી સ્થિર બુદ્ધિ ભગવાનને છદ્મસ્વકાળમાં હોય છે તેથી ભગવાનની શ્રદ્ધા ક્યારેય પ્લાનભાવને પામતી નથી. સામાન્યથી સમ્યગ્દષ્ટિમાં સ્થિર શ્રદ્ધા હોવા છતાં ક્ષયોપશમભાવના સમ્યકત્વમાં અતિચારકાળમાં કંઈક ગ્લાનિ પણ આવે અને ક્યારેક આકર્ષ દ્વારા મિથ્યાત્વની પ્રાપ્તિ પણ થાય છે; પરંતુ તીર્થકરોના જીવોમાં ક્ષયોપશમ સમ્યકત્વ હોય તોપણ સમકિતમાં ગ્લાનિ આવતી નથી. તેવી શ્રદ્ધાવાળા ભગવાનના ગુણોને ઉપસ્થિત કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે અને સમ્યકત્વ પ્રત્યેનો પક્ષપાત વધે છે. વળી ભગવાન જન્મથી માંડીને વિશુદ્ધ કોટીનાં ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે, અને દીક્ષા ગ્રહણ કરે ત્યારે વિશુદ્ધ કોટીનાં ચાર જ્ઞાનથી યુક્ત હોય છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિને પામનારા હોય છે, પરંતુ અન્ય જીવોની જેમ ક્યારેય હીનતાને પામતાં નથી. આ રીતે ભગવાનના છદ્મસ્થ અવસ્થાના જ્ઞાનગુણની ઉપસ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy