SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જિનભક્તિહાવિંશિકા/બ્લોક-૨૩ વિશુદ્ધ રક્ત-પીતાદિ વર્ણવાળા એવા પટ્ટયુમ્માદિ અને ઉજ્જવલ વસ્ત્ર છે જેને એવા શ્રાવકે પૂજા કરવી જોઈએ, એમ અત્રય છે. તે વિશુદ્ધ ઉજ્વલ વસ્ત્રવાળા શ્રાવકે પૂજા કરવી જોઈએ તે, ષોડશક-૯/પમાં કહેવાયું છે – ‘સિત-શુભ વસ્ત્રવાળા શ્રાવકે પૂજા કરવી જોઈએ.’ તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભગવાનની પૂજા વખતે વિશુદ્ધ ઉવેલ વસ્ત્ર ધારણ કરવા પૂર્વે, કઈ રીતે શુદ્ધિ કરવી જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે - શુદિના .... વળી દ્રવ્યથી દેશ અને સર્વ સ્તાન દ્વારા પવિત્ર એવા શ્રાવકે પૂજા કરવી જોઈએ, અને ભાવથી વિશુદ્ધ અધ્યવસાય વડે પવિત્ર એવા શ્રાવકે પૂજા કરવી જોઈએ. વળી સંવૃત આત્માવાળા=અંગ, ઉપાંગ અને ઇન્દ્રિયના સંવરવાળા એવા શ્રાવકે પૂજા કરવી જોઈએ. ૨૩ ભાવાર્થ :પુરુષોને માટે પૂજાવિધિ : પૂર્વશ્લોકમાં ભગવાનની પૂજા કેટલા પ્રકારે થાય છે, તેની સ્પષ્ટતા કરી. હવે પૂજા કરનાર શ્રાવક કઈ રીતે ભગવાનની પૂજા કરે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ભગવાનના ગુણોની સ્મૃતિને અભિમુખ ચિત્ત ન બને તો પૂજાથી પણ ભાવસ્તવની શક્તિનો સંચય થાય નહિ. તેથી વિવેકી શ્રાવક પૂજા કરતાં પૂર્વે આ લોકોત્તમ પુરુષની પૂજા હું કઈ રીતે કરું કે જેથી ભાવસ્તવની શક્તિનો સંચય થાય ?” તેવો અભિલાષ કરે અર્થાત્ વીતરાગની સંસારના ભાવોથી નિરપેક્ષ થવાની જે આજ્ઞા છે, તેના પાલનની શક્તિનો સંચય થાય, તે પ્રકારે આત્માને ભગવાનની ભક્તિને અભિમુખ કરે. આ પ્રકારનો વિશુદ્ધ અધ્યવસાય એ ભાવથી શુચિ છે. ત્યારપછી શરીરની શુદ્ધિ કરવામાં આવે તે દ્રવ્યથી શુચિ છે, અને તે દ્રવ્યથી શુચિ દેશ સ્નાનથી થાય છે અથવા સર્વ સ્નાનથી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy