SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિાસિંચિકા/શ્લોક-૨૩-૨૪ ૧૦૭ તથાવિધિ શરીરના સંયોગના કારણે સર્વસ્નાન કરવું શક્ય ન હોય તો ભીના વસ્ત્ર દ્વારા શરીરને સ્વચ્છ કરવામાં આવે તે દેશસ્નાન છે, અને સર્વ અંગોની શુદ્ધિ કરવામાં આવે તે સર્વજ્ઞાન છે; અને આ રીતે સ્નાન કરવાથી બાહ્યથી દેહની શુદ્ધિ થાય છે, તે દ્રવ્યથી પવિત્રતા છે. આ રીતે ભાવથી અને દ્રવ્યથી પવિત્ર એવા શ્રાવકે ભગવાનની પૂજા કરવી જોઈએ. વળી ભાવથી અને દ્રવ્યથી પવિત્ર થયા પછી શ્રાવક વિશુદ્ધ અને ઉજ્વલ વસ્ત્રો ધારણ કરે. વિશુદ્ધ અર્થાત્ રક્ત-પીતાદિ એવા પટ્ટયુમ્મરૂપ વિશુદ્ધ વસ્ત્ર, અને મલ આદિથી રહિત એવા ઉજ્જવલ વસ્ત્રને ધારણ કરે. વળી પૂજાની પ્રવૃત્તિના કાળમાં પોતાનાં અંગો-ઉપાંગો અને ઇન્દ્રિયોનો સંવર કરીને પૂજા કરવી જોઈએ, જેથી ભગવાનની ભક્તિ સિવાય અન્ય વ્યાપારમાં પ્રવર્તતા પોતાના મન, વચન, કાયાના યોગો નિરોધ પામે. આ રીતે સંવૃત થઈને પૂજા કરવાથી પોતાની સર્વ શક્તિ ભગવાનના ગુણોને અવલંબીને ભગવાન જેવા થવા માટેના સ્વપરાક્રમને ઉલ્લસિત કરે છે. વળી સંવૃત થયા પછી ભગવાનના ગુણો પ્રત્યેની ભક્તિ ઉલ્લસિત થાય તે પ્રકારના માનસયત્નપૂર્વક ભાવવિશેષથી પરિશોધિત ન્યાયપૂર્વકના ધનથી પૂજા કરવી જોઈએ. ૨૩ અવતરણિકા : પૂર્વશ્લોકમાં શ્રાવકે કઈ રીતે પૂજા કરવી જોઈએ, તે બતાવ્યું. હવે તે પૂજાકાળમાં ઉત્તમ ભાવ વર્તે તે માટે કેવા પ્રકારનાં સ્તોત્રોથી યુક્ત પૂજા કરવી જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : पिण्डक्रियागुणोदारैरेषा स्तोत्रैश्च सङ्गता । પા૫ર્તાઃ સખ્યપ્રધાનપુર:સરે રજા અન્વયાર્થઃવિક્રિયાપુર =પિંડ, ક્રિયા અને ગુણો વડે ઉદાર શરીરનાં લક્ષણ, ભગવાનના આચારો અને ભગવાનના ગુણોથી ગંભીર, ૪ પાપાëરે = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy