SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જિનભક્તિહાસિઁશિકા/બ્લોક-૨૦ ઉત્થાન : પ્રતિષ્ઠાવિધિમાં મંત્રજાસાદિ યુક્તિવાળા છે, તે બતાવ્યું. હવે પ્રતિમામાં મુખ્ય દેવતાના આલંબનવાળા ભાવની પ્રતિષ્ઠા કર્યા પછી શું કરવું જોઈએ ? તે બતાવે છે – ટીકા : अष्टौ दिनानि यावदविच्छित्त्या नैरन्तर्येण पूजा बिम्बस्य, दानं च विभवानुसारेण शासनोन्नतिनिमित्तमिति ।।२०।। ટીકાર્ય : અષ્ટોનિમિત્તતિ આઠ દિવસ સુધી, અવિચ્છેદથી નિરંતરપણાથી, વૈભવ અનુસાર બિબની પૂજા અને શાસનની ઉન્નતિ નિમિતે દાન આપવું જોઈએ અર્થાત્ અણહ્નિકા મહોત્સવ કરવો જોઈએ. ર૦માં નોંધ:- શ્લોકમાં ‘માવતઃ' શબ્દ છે, એ પ્રમાણે ટીકામાં પણ “માવત:' શબ્દ હોવો જોઈએ. તેથી ભગવાન પ્રત્યે ભક્તિભાવથી વૈભવ અનુસાર બિંબની પૂજા અને વૈભવ અનુસાર દાન આપવું જોઈએ, જેથી લોકોમાં શાસનની ઉન્નતિ થાય, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. ભાવાર્થ : પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા પછી તે પ્રતિમાની પ્રતિદિન પૂજા કરવાની છે, પરંતુ આઠ દિવસ સુધી વિશેષ પ્રકારની પૂજા અને વિશેષ પ્રકારનું દાન કરવું જોઈએ, જેથી લોકોમાં ભગવાનના શાસનની ઉન્નતિ થાય. માટે આ કથન અષ્ટાહ્નિકા મહોત્સવને આશ્રયીને હોવું જોઈએ; અને દેવતાઓ પણ ભગવાનના જન્મકલ્યાણકાદિની ઉજવણી કર્યા પછી નંદિશ્વરદ્વીપ જઈ અષ્ટાલિકા મહોત્સવ કરે છે. તેનું અનુસરણ કરવા અર્થે આઠ દિવસ સુધી પૂજા અને દાનનું વિધાન જણાય છે. અહીં શ્લોકમાં “ભાવથી” એમ કહ્યું તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રતિષ્ઠા કર્યા પછી પોતાના વૈભવ અનુસાર આઠ દિવસ સુધી ભગવાનની પૂજા કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy