SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૦ ૯૯ પણ અવસ્થાન્તર છે” તે પ્રકારની કલ્પનાવિશેષ પ્રતિમામાં હોવાને કારણે શ્રાવકોના ભક્તિના ભાવની વૃદ્ધિ માટે જલાભિષેકાદિનું શાસ્ત્રમાં વિહિતપણું છે, અને આ રીતે પૂર્વપક્ષી ન સ્વીકારે તો પૂર્વપક્ષીના મતે પ્રતિમામાં સિદ્ધાવસ્થાનું સ્થાપન પણ અશ્લીલ સિદ્ધ થાય=દુષ્ટ સિદ્ધ થાય; કેમ કે સિદ્ધાવસ્થામાં ભગવાનની પદ્માસનાદિ મુદ્રા નથી, પરંતુ પદ્માસનાદિ અવસ્થાવાળા આત્મપ્રદેશોનો ત્રીજો ભાગ સંકોચાઈ જાય છે અને તે આકારે અરૂપી આત્મપ્રદેશો રહે છે, છતાં સિદ્ધાવસ્થામાં જતા પૂર્વે યોગનિરોધકાળમાં પદ્માસનાદિ મુદ્રા હોય છે. અને ભગવાનની સિદ્ધાવસ્થા પ્રત્યે ભક્તિને ઉલ્લસિત કરવા માટે સિદ્ધાવસ્થાની અવ્યવહિત પૂર્વઅવસ્થામાં સિદ્ધાવસ્થાનો ઉપચાર કરીને પ્રતિમામાં સિદ્ધાવસ્થાની સ્થાપના કરાય છે. તેથી જેમ સિદ્ધાવસ્થાની પૂર્વાવસ્થામાં ભક્તિ અર્થે સિદ્ધાવસ્થાની કલ્પના કરાય છે, તેમ સ્થાપનામાં પણ ભાવવૃદ્ધિ અર્થે જલાભિષેકાદિ કરાય છે. તેથી જો પૂર્વપક્ષી ભગવાનની મૂર્તિને સિદ્ધાવસ્થાને સામે રાખીને ભાવવૃદ્ધિનું કારણ હોવા છતાં જલાભિષેકાદિ વ્યવહારનો નિષેધ કરે તો સિદ્ધાવસ્થા પૂર્વની અવસ્થામાં પણ સિદ્ધાવસ્થાનું સ્થાપન અશ્લીલ સિદ્ધ થાય=દુષ્ટ સિદ્ધ થાય. વળી ભગવાનની પ્રતિમામાં સિદ્ધાવસ્થાની સ્થાપના છે અને સિદ્ધાવસ્થાની ભક્તિ એ સિદ્ધાવસ્થાનું ધ્યાન કરવાથી થાય છે. તેને બદલે સિદ્ધાવસ્થાને અનનુરૂપ અને જન્માદિ અવસ્થાને અનુરૂપ એવી જલાભિષેક આદિની પ્રવૃત્તિ વ્યભિચારી પ્રવૃત્તિ છે અર્થાત્ સિદ્ધાવસ્થાની મુદ્રાને અનુરૂપ પ્રવૃત્તિ નથી, પરંતુ વિપરીત પ્રવૃત્તિ છે. આ પ્રકારની વ્યભિચારીપણાની કોઈને શંકા થાય, તેના નિવારણ માટે કહે છે આથી=ભગવાનની યોગનિરોધકાળની અવસ્થા કરતાં પ્રતિમામાં અવસ્થાંતરકલ્પના-વિશેષ હોવાને કારણે ભાવવૃદ્ધિ માટે જલાભિષેક આદિનું શાસ્ત્રમાં વિહિતપણું છે. આથી, વ્યભિચારીપણાની શંકા નહિ જ થાય અર્થાત્ આ ભગવાનની સિદ્ધાવસ્થાવાળી મુદ્રા છે, આમ છતાં તેને જલાભિષેક આદિ કરવાં તે વ્યભિચારી છે, તે પ્રકારની શંકા નહિ જ થાય; કેમ કે ભક્તિ અર્થે સિદ્ધઅવસ્થાને પામેલા ભગવાનના દ્રવ્યશરીરનો જેમ જલાભિષેક આદિ થાય છે, તેમ ભગવાનની સિદ્ધાવસ્થા પ્રત્યેની ભક્તિ અર્થે ભગવાનની પ્રતિમાને પણ જલાભિષેકાદિ કરવાં તે દોષરૂપ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy