SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય જિનભતિહાસિઁશિકા/બ્લોક-૧૯ ચિંતામણિકારના મતાનુસાર ધ્વંસરૂપ વ્યાપાર દ્વારા પ્રતિષ્ઠા, પ્રતિમાની પૂજાના ફળની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે અર્થાત્ પ્રતિષ્ઠા ધ્વસરૂપ વ્યાપાર પેદા કરે છે અને તે વ્યાપારથી પ્રતિમાની પૂજા કરનારને પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ચિંતામણિકારના મતમાં અભાવરૂપ વ્યાપારની પ્રાપ્તિ છે; પરંતુ ભાવરૂપ વ્યાપારની પ્રાપ્તિ નથી, અને તે ગ્રંથકારશ્રીને ઇષ્ટ નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે જેમ વર્તમાનમાં કોઈક પાપ કરે તો તે પાપની ક્રિયા કર્મબંધરૂપ ભાવાત્મક પદાર્થ દ્વારા જન્માંતરમાં અનિષ્ટ ફળ આપે છે, પરંતુ વર્તમાનની પાપની ક્રિયા તેના ધ્વંસ દ્વારા જન્માંતરમાં ફળ આપતી નથી. એ નિયમ પ્રમાણે પ્રતિષ્ઠાની ક્રિયા પણ પ્રતિમામાં ઉપચરિત સ્વભાવરૂપ ભાવાત્મક પદાર્થ દ્વારા પૂજા કરનારને પૂજાનું ફળ આપે છે, પરંતુ પ્રતિષ્ઠાના ધ્વંસ દ્વારા પ્રતિમાની પૂજા કરનારને પૂજાનું ફળ આપતી નથી, તેમ સ્વીકારવું જોઈએ. સંક્ષેપથી ઉપરના કથનનું તાત્પર્ય : વ્યાપારી વ્યાપાર ૧. દૃષ્ટાંત દંડ ભ્રમિ=ભ્રમણ ઘટ ૨. દૃષ્ટાંત પાપક્રિયા કર્મબંધ કર્મનું ફળ ૩. ચિંતામણિકાર મત પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાધ્વસ પૂજાનું ફળ ૪. જૈન મત પ્રતિષ્ઠા ઉપચરિત સ્વભાવ પૂજાનું ફળ પ્રતિષ્ઠા ભાવવ્યાપાર દ્વારા પૂજાફળ પ્રત્યે આ રીતે કારણ છે – પ્રતિષ્ઠાની ક્રિયા દ્વારા પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક મુખ્ય દેવતાના આલંબનના ભાવવાળો પરિણામ કરે છે. તે પરિણામ પ્રતિષ્ઠા વખતે તેના આત્મામાં પ્રગટ થયો છે, અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં તે પરિણામનો ઉપચાર કરવામાં આવે છે. તેથી મુખ્ય દેવતા એવા તીર્થકરના સ્વરૂપના આલંબનવાળો ઉપચરિતસ્વભાવ પ્રતિમામાં પેદા થાય છે. માટે પ્રતિષ્ઠા પૂર્વે તે પ્રતિમા આકારરૂપે સિદ્ધ મુદ્રાવાળી હોવા છતાં ઉપચરિતસ્વભાવવાળી ન હતી, અને પ્રતિષ્ઠાવિધિ દ્વારા સિદ્ધ મુદ્રારૂપ આકારવાળી તે પ્રતિમા તીર્થંકરના આલંબનવાળા ઉપચરિતસ્વભાવવાળી થઈ. તેથી પ્રતિષ્ઠા પૂર્વેની પ્રતિમા કરતાં પ્રતિષ્ઠાઉત્તરભાવિ એવી તે પ્રતિમામાં અપૂર્વતાની પ્રાપ્તિ છે, અને પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિ પ્રત્યે અપૂર્વને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy