SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ ઉપચરિત સ્વભાવરૂપ ભાવના વ્યાપારપણાનો નિયમ છે. અન્યથા=કાલાતરભાવિફળમાં ચિરાષ્ટતા ભાવવ્યાપારકત્વનો નિયમ ન સ્વીકારવામાં આવે તો, અપૂર્વના ઉચ્છેદની આપત્તિ આવે પ્રતિષ્ઠા પૂર્વે જે પ્રતિમા હતી, તેના કરતાં પ્રતિષ્ઠા કર્યા પછી આ પ્રતિમા અપૂર્વ છે, એ પ્રકારની પ્રતીતિના ઉચ્છેદની આપત્તિ આવે. ચિંતામણિકાર પ્રતિષ્ઠાધ્વંસ દ્વારા પ્રતિષ્ઠાને પૂજાફળનું પ્રયોજક સ્વીકારે છે. તેનું નિરાકરણ કરીને ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે ઉપચરિત સ્વભાવરૂપ ભાવાત્મક વ્યાપાર દ્વારા પ્રતિષ્ઠા પૂજાફળનું પ્રયોજક છે. હવે પ્રતિષ્ઠાને ધ્વસ દ્વારા પૂજાફળનું પ્રયોજક સ્વીકારીએ તો શું દોષ આવે ? તે બતાવવા માટે ગ્રંથકાર શિષ્ય થી કહે છે – વિશ્વ ખ્યિ=વળી કોઈક અવયવના નાશથી પ્રતિમાસ્તરની ઉત્પત્તિ થયે છ7=પૂર્વમાં પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમાના ઘસારા આદિથી કિંચિત અવયવોનો નાશ થવાને કારણે પૂર્વમાં પ્રતિષ્ઠિત પ્રતિમા કરતાં અન્ય પ્રતિમાની ઉત્પતિ થયે છતે, તવ=તને=ચિંતામણિકારને, તત્ર ત્યાં= પ્રતિમાનરરૂપે થયેલી પ્રતિમામાં, પ્રતિષ્ઠાધ્વંસનો અનબ્યુપગમ હોવાથી પૂજયતાની અનાપતિ છે–પ્રતિમાસ્તરરૂપે થયેલી પ્રતિમામાં પૂજ્યતાની અપ્રાપ્તિ છે. આ રીતે ચિંતામણિકારના મતથી કોઈક અવયવોના નાશથી તે પ્રતિમા અન્ય પ્રતિમા રૂપે થતી હોવાને કારણે તે પ્રતિમામાં પ્રતિષ્ઠાના ધ્વંસની અપ્રાપ્તિ થવાથી તે પ્રતિમાને અપૂજ્ય સ્વીકારવાની જે આપત્તિ આવી, તેના નિરાકરણ માટે ચિંતામણિકાર શું કહે છે તે બતાવીને, ચિંતામણિકારે જે કહાં તે સ્વીકારવાથી સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે, તે બતાવવા અર્થે કહે છે – પ્રતિષ્ઠિતત્વવૃદ્ધિ બનાવું .... પવિતેના વીહિન્દુ સંસ્કૃતવ=અને ધારામાં સંસ્કૃતત્વની જેમ યજ્ઞાદિ કૃત્ય અર્થે ધાન્યને વિશેષ સંસ્કારિત કરવામાં આવેલ હોય, અને સંસ્કારિત કર્યા પછી “ક્ષત ત્રિીદવ:' ઈત્યાદિ વચન દ્વારા તે ધાન્યને યજ્ઞાદિ કૃત્ય અર્થે કૂટવામાં આવે ત્યારે, તે ધાન્યના કોઈક અવયવોનો નાશ થાય છે; આમ છતાં તે ધાવ્યમાં સંસ્કૃતત્વની બુદ્ધિ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy