SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/મ્લોક-૧૯ ૭૫ પરંતુ પ્રતિમા પૂજ્ય બને છે. આ પ્રકારે જે નવ્ય નૈયાયિકો કહે છે, તેમાં શું દોષ આવે ? તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે - કોઈક પુરુષને તવ્યક્તિરૂપ પ્રતિમામાં વિશિષ્ટ સંબંધનો અગ્રહ થયે છતે તે પુરુષને તે પ્રતિમાની પૂજા કરવાનો અતિપ્રસંગ આવે અર્થાત્ પ્રતિષ્ઠાવિધિથી જે પ્રતિમામાં અદૃષ્ટ પેદા થાય છે, તે પ્રતિમારૂપ વ્યક્તિમાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયસ્વસ્વરૂપ વિશિષ્ટ સંબંધનું ગ્રહણ ન થાય તો તે પુરુષને ભ્રમ થાય કે આ પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલ નથી. તેથી તે પુરુષ તે પ્રતિમાની પૂજા કરે નહિ. આમ છતાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી પ્રતિમાની પૂજ્યતાનું પ્રયોજક અદૃષ્ટ તે પ્રતિમામાં વિદ્યમાન છે, તેથી તે પુરુષને તે પ્રતિમાની પૂજા ક૨વાનો અતિપ્રસંગ આવે; કેમ કે વિશિષ્ટ સંબંધથી અદૃષ્ટના જ્ઞાનને નવ્ય નૈયાયિકો પૂજ્યતાનું પ્રયોજક કહેતા નથી, પરંતુ વિશિષ્ટ સંબંધથી અદૃષ્ટને પૂજ્યતાનું પ્રયોજક કહે છે; અને વિશિષ્ટ સંબંધથી અદષ્ટ તે પ્રતિમામાં વિદ્યમાન છે, માટે પ્રતિમામાં વિશિષ્ટ સંબંધનો અગ્રહ થવા છતાં તે પુરુષને તે પ્રતિમાની પૂજા કરવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય. વળી કોઈ પૂજા કરનારને પ્રતિમારૂપ તવ્યક્તિમાં વિશિષ્ટ સંબંધનું ગ્રહણ થાય તો તે પુરુષ પ્રતિમાની પૂજા કરે છે, આમ છતાં જેમ તેને પ્રતિમામાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટનું ગ્રહણ થયું, તેમ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પણ સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટનું ગ્રહણ થાય છે; તોપણ જેમ પ્રતિમાની પૂજા કરનાર પુરુષને પ્રતિમામાં પૂજ્યતાનો અનુગમ છે, તેમ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પૂજ્યતાનો અનુગમ નથી. તેથી પ્રતિષ્ઠાવિધિથી જનિત વિચિત્ર અદૃષ્ટ સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયરૂપ વસ્તુની પૂજ્યતાનું પ્રયોજક છે, તેમ સ્વીકારી શકાય નહીં; અને જો તેમ સ્વીકારીએ તો પ્રતિષ્ઠા કરાવનારના આત્માને પણ પૂજ્ય સ્વીકારવાની આપત્તિ આવે. આશય એ છે કે સ્વ એટલે અદૃષ્ટ, અને એનો આશ્રય પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા, અને તે આત્માનો સંયોગ પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમા સાથે થાય છે. તેથી તે સંયોગનો આશ્રય પ્રતિમા બને છે, તેમ પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા પણ બને છે; કેમ કે સંયોગ ઉભયમાં રહેનારો ધર્મ છે. તેથી આ સંબંધથી અદૃષ્ટને પૂજ્યતાનું પ્રયોજક સ્વીકા૨ીએ તો પૂજ્યતાનો અનુગમ પ્રતિમામાં થાય છે, તેમ પ્રતિષ્ઠા કરાવનારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy