________________
૭૬
દાનહાત્રિશિકા/બ્લોક-૨૩ હોય અર્થાત્ જેઓ વિશેષ પ્રકારના તપમાં ઉદ્યમ કરીને નિર્જરામાં યત્ન કરતા હોય, તેવા પાત્રવિશેષ હોય, અને આવા પાત્રવિશેષમાં અશુદ્ધ દાન આપવામાં આવે તો આપનારને લાભ થાય છે; અથવા તો દુર્ભિક્ષકાળ હોય અથવા સાધુ અટવી ઉલ્લંઘન કરીને આવ્યા હોય અથવા તો સાધુ ગ્લાન હોય અથવા તેવું અન્ય કોઈ કારણ હોય અને શુદ્ધ ભિક્ષા સુલભ ન હોય તેવા કારણે અશુદ્ધ દાન આપે તો દાન આપનારનું વિવેકથી શુદ્ધ અંતઃકરણ હોવાના કારણે આપનારને નિર્જરા થાય છે; અને દાન ગ્રહણ કરનાર ગીતાર્થ હોય, કૃતયોગી હોય અને યતનાપૂર્વક કારણે અશુદ્ધ દાન ગ્રહણ કરતા હોય તો તે ગ્રહણ સંયમવૃદ્ધિનું કારણ હોવાથી લેનારને નિર્જરાનું કારણ બને છે. તેથી તે પ્રથમ ભાંગો જેમ અતિશયથી શુદ્ધ છે, તેમ જે અશુદ્ધ દાનમાં દાતા પણ વિવેકપૂર્વક આપતો હોય અને લેનાર પણ ગીતાર્યાદિ ભાવવાળા હોવાથી વિવેકપૂર્વક ગ્રહણ કરતા હોય તો બાહ્યથી અશુદ્ધ દાન હોવા છતાં પૂર્ણ શુદ્ધ જ છે; કેમ કે પ્રથમ ભાંગાની જેમ આ ભાંગામાં પણ લેનાર અને આપનારને એકાંતે શ્લોક-૨૨માં બતાવ્યું તેવું સાનુબંધ પુણ્ય અને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે; અને પાત્રવિશેષ કે કારણવિશેષ ન હોય, આમ છતાં કોઈ શ્રાવક અશુદ્ધ દાન આપે તો વિવેકથી શુદ્ધ અંતઃકરણ નહીં હોવાથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થતું નથી; અને લેનાર પણ ગીતાર્યાદિ ચાર ભાવોમાંથી કોઈપણ ભાવની ખામીવાળા હોય તો તે દાનથી તેમને પણ કર્મબંધ થાય છે. જેમ કોઈ સાધુ ગીતાર્થ હોય, કૃતયોગી હોય અને યતનાપૂર્વક અશુદ્ધ દાન ગ્રહણ કરતા હોય, છતાં કારણે ગ્રહણ ન કરતા હોય, પરંતુ નિષ્કારણ ગ્રહણ કરતા હોય, તો તેને આશ્રયીને આ બીજો ભાંગો અશુદ્ધ છે; કેમ કે લેનાર નિષ્કારણ અશુદ્ધ દાન ગ્રહણ કરતા હોવાથી તે અંશમાં કર્મબંધ થાય છે. રક્ષા અવતરણિકા :
नन्वेवं संयतायाशुद्धदाने फले द्वयोर्भवतु भजना, दातुर्बहुतरनिर्जराऽल्पतरपापकर्मबन्धभागित्वं तु भगवत्युक्तं कथं, अपवादादावपि भावशुद्ध्या फलाविशेषादित्यत સાદ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org