SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ દાનાસિંશિકા/શ્લોક-૨૩ મહાત્માના ગુણો પ્રત્યે ભક્તિવાળું ચિત્ત હોવાથી તે અધ્યવસાયથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને જ્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાતું હોય ત્યારે સાનુબંધ પાપ બંધાતું નથી અર્થાત્ ગુણસ્થાનક પ્રત્યયિક બંધાતી એવી જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિ બાંધતો હોય છે, તોપણ તે ઉત્તમ અધ્યવસાયથી તે પાપપ્રકૃતિઓ સાનુબંધ બંધાતી નથી અને પૂર્વમાં બંધાયેલ પાપપ્રકૃતિઓ પણ તે ઉત્તમ અધ્યવસાયથી નાશ પામે છે. તેથી દાનક્રિયાકાળમાં વર્તતો ભક્તિનો અધ્યવસાય પાપપ્રકૃતિની નિવૃત્તિ કરે છેઃનાશ કરે છે, અને પુણ્યાનુબંધી પુણ્યનો સંચય કરે છે. તેથી મોક્ષમાર્ગના પ્રમાણમાં વિઘ્નનું અપ્રયોજક એવું પુણ્ય રહે છે અર્થાત્ મોક્ષમાર્ગના પ્રયાણને અટકાવવાનું કારણ ન બને તેવું પુણ્ય રહે છે, જેથી મોક્ષ સુલભ બને છે. આશય એ છે કે સંયમીની ભક્તિના અધ્યવસાયથી સંયમનાં પ્રતિબંધક એવાં પાપોનો નાશ થાય છે અને સંયમની પ્રાપ્તિમાં ઉપષ્ટભક એવો પુણ્યબંધ થાય છે. તેથી સંયમીની કરાયેલી ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ સુલભ બને છે. રશા અવતરણિકા – પાત્રદાનની ચતુર્ભગીમાં પ્રથમ ભાંગાવાળા દાનથી શું ફળ મળે છે, તે શ્લોક-૨૨માં બતાવ્યું. હવે બીજા ભાંગામાં ભજના કઈ રીતે છે, તે બતાવે છે – શ્લોક : भवेत्पात्रविशेषे वा कारणे वा तथाविधे । अशुद्धस्यापि दानं हि द्वयोर्लाभाय नान्यथा ।।२३।। અન્વયાર્થ - પત્રિવિશેષે વા=પાત્રવિશેષ હોતે છતે અથવા તથવિષે રને વ=તેવા પ્રકારનું કારણવિશેષ હોતે છતે શુદ્ધસ્થાપિતાને દિ=અશુદ્ધ એવા આહારનું પણ દાન પ્રયો:=બંનેના=દેનાર અને ગ્રહણ કરનારના નામા=લાભ માટે થાય છે. જે અન્યથા=પાત્રવિશેષ ન હોય કે તથાવિધ કારણવિશેષ ન હોય તો નહીં=લાભ માટે થતું નથી. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy