________________
દાનહાલિંશિકા/શ્લોક-૨૨ દાન નિર્જરાનો હેત હોવાથી પ્રથમ ભાંગો અતિશય શુદ્ધ છે; કેમ કે સુપાત્રમાં સુપાત્રબુદ્ધિ છે, તેને કારણે ભક્તિનો પરિણામ થયેલો છે, અને દાન પણ શુદ્ધ છે, તેથી અતિશય શુદ્ધ છે તેમ કહેલ છે.
(૨) બીજા ભાંગામાં ભજના પ્રાપ્ત થાય છે. વિવેકી શ્રાવક દુર્ભિક્ષાદિ કાળ હોય કે સંયમી સાધુ અટવી ઉલ્લંઘીને આવેલા હોય કે અન્ય તેવું કોઈ કારણ હોય અને જો તે વખતે સાધુને સંયમવૃદ્ધિનું કારણ બને તેવો નિર્દોષ આહાર પ્રાપ્ત ન હોય તો અશુદ્ધ દાન આપે છતાં શ્રાવકને નિર્જરા થાય છે, તેથી આ ભાંગો પણ શુદ્ધ છે. પરંતુ દુર્મિક્ષ કાળ ન હોય કે સાધુ અટવી ઉલ્લંઘન કરીને આવ્યા ન હોય અને તેનું કોઈ અન્ય કારણ પણ ન હોય, વળી નિર્દોષ ભિક્ષાથી સાધુ સંયમવૃદ્ધિમાં યત્ન કરી શકે તેમ હોય, છતાં પણ અવિચારકપણે ઘેલી ભક્તિને વશ થઈને શ્રાવક અશુદ્ધ દાન કરે તો, સાધુની સંયમવૃદ્ધિમાં સહાયક થવાનો અધ્યવસાય નહીં હોવાથી તેવા અશુદ્ધ દાનથી શ્રાવકને નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. તેથી આ ભાંગો અશુદ્ધ પણ છે. માટે બીજા ભાંગામાં શુદ્ધ-અશુદ્ધ વિકલ્પવાળી ભજના છે.
(૩) (૪) અસંયતને શુદ્ધ દાન કે અસંયતને અશુદ્ધ દાન એ રૂપ ત્રીજો અને ચોથો ભાંગો એકાંત કર્મબંધનો હેતુ હોવાથી અનિષ્ટ ફળને દેનારો છે.
આશય એ છે કે અસંયતને સુપાત્રબુદ્ધિથી વિવેકી શ્રાવક શુદ્ધ કે અશુદ્ધ દાન આપે નહીં. આમ છતાં ક્યારેય વિચારકતાને કારણે અસંયતમાં પણ સુપાત્રબુદ્ધિ કરીને શુદ્ધ દાન આપે કે અશુદ્ધ દાન આપે તો એકાંતે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેથી ત્રીજા-ચોથો ભાંગો અનિષ્ટફળને દેનારો છે. અવતરણિકા -
પૂર્વે સુપાત્રદાનની ચતુર્ભગી શ્લોક-૨૧માં બતાવી. તેમાં સુપાત્ર એવા સાધુને શુદ્ધ દાન આપવાથી શું ફળ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – શ્લોક :
शुद्धं दत्त्वा सुपात्राय सानुबन्धशुभार्जनात् । सानुबन्धं न बध्नाति पापं बद्धं च मुञ्चति ।।२२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org