________________
૬૮
દાનતાસિંચિકા/બ્લોક-૨૦ ટીકાર્ય :
મસ્તુિ સ્વસ્ય .... સમર્થ ભવતિ સારી વળી સુપાત્રથી પોતાના ભવનિતારની વાંછા તે ભક્તિ છે. વળી બીજા પ્રકારે ભક્તિનું સ્વરૂપ બતાવે છે –
આરાધ્યપણારૂપે જ્ઞાન તે ભક્તિ છે અને ગૌરવવાળી વ્યક્તિમાં પ્રીતિનો હેતુ એવી ક્રિયા અને ગૌરવવાળી વ્યક્તિની સેવા તે આરાધના છે; અને આ પણ=સુપાત્રદાનનું બીજું લક્ષણ કર્યું એ પણ, ફળથી, આ લક્ષણને= શ્લોકમાં કહેલા લક્ષણને, ઉલ્લંઘન કરતું નથી. તે ભક્તિ વડે પૂર્વમાં કહ્યું કે સુપાત્રથી ભવનિસ્તારની વાંચ્છા તે ભક્તિ છે અથવા આરાધ્યપણારૂપે જ્ઞાન તે ભક્તિ છે તે ભક્તિ વડે, સુપાત્રને અપાયેલું દાન ઘણો કર્મક્ષય કરવામાં ક્ષમ=સમર્થ, થાય છે. ૨૦
‘તરિ' અહીં ‘’ થી એ કહેવું છે કે પ્રથમ લક્ષણ તો ભક્તિનું છે, પરંતુ આ બીજું લક્ષણ પણ ફળથી પ્રથમ લક્ષણથી જુદું પડતું નથી અર્થાત્ સ્વરૂપથી જુદું પડતું હોવા છતાં ફળથી જુદું પડતું નથી. ભાવાર્થ :ભક્તિનું લક્ષણ :
(૧) “સુપાત્રને દાન આપીને તે દાનની ક્રિયાથી હું ભવથી નિસ્તાર પામું” - તેવી વાંછા તે ભક્તિ છે.
આશય એ છે કે ગ્રંથકાર શ્લોક-૨૯માં ત્રણ પ્રકારના સુપાત્ર બતાવશે. એ ત્રણ સુપાત્રમાં વર્તતા ગુણોને જોઈને તેઓની ભક્તિ કરવાનો અભિલાષા જીવને થાય છે ત્યારે તે વિચારે છે કે “આ મહાત્માઓની ભક્તિ કરીને હું પણ આ સંસારસાગરથી તરું.”
આ પ્રકારે ભક્તિનું લક્ષણ કર્યા પછી ટીકામાં અન્ય પ્રકારે ભક્તિનું લક્ષણ કરે છે –
(૨) ગુણવાન એવી વ્યક્તિના ગુણોને જોઈને, “આ ગુણો મારા માટે આરાધ્ય છે” તે પ્રકારના જ્ઞાનનો ઉપયોગ તે ભક્તિ છે, અને આવા ભક્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org