________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦
५७
હતા, એ વાત સંભળાય છે, એ વાત સાચી છે, એમ ગ્રંથકારને કહેવું નથી; પરંતુ સંભળાતી વાત સાચી હોય કે ખોટી હોય તેની વિચારણાની ઉપેક્ષા કરીને ગ્રંથકારને એટલું સ્થાપન કરવું છે કે સંવિગ્નપાક્ષિક ક્યારેય ભગવાનના વચનથી નિર્ણીત પદાર્થને છોડીને અન્ય પદાર્થ કહે નહીં. તેથી હરિભદ્રસૂરિએ ‘અનુકંપાદાન અપવાદથી સાધુને થઈ શકે' એમ જે કહ્યું છે, તે ભગવાનના વચનાનુસાર છે; કેમ કે તેઓ સંવિગ્નપાક્ષિક હતા. II૧૯॥
અવતરણિકા :
શ્લોક-૧માં દાનના બે ભેદો બતાવ્યા. (૧) અનુકંપાદાન અને (૨) સુપાત્રદાન. ત્યારપછી શ્લોક-૨માં અનુકંપા ક્યાં થાય ? અને ભક્તિ ક્યાં થાય ? તે બતાવ્યું. ત્યારપછી શ્લોક-૩ થી ૧૯ સુધી અનુકંપાદાનનું વર્ણન કર્યું. હવે સુપાત્રદાનનું વર્ણન કરતાં ગ્રંથકાર કહે છે
શ્લોક ઃ
भक्तिस्तु भवनिस्तारवाञ्छा स्वस्य सुपात्रतः । तया दत्तं सुपात्राय बहुकर्मक्षयक्षमम् ।।२०।। અન્વયાર્થ :
સુપાત્રતઃ તુ=વળી સુપાત્રથી સ્વસ્થ=પોતાના મનિસ્તારવાચ્છા=ભવનિસ્તારની વાંચ્છા મઃિ=ભક્તિ છે તયા=તેના વડે=ભક્તિ વડે સુપાત્રાય વત્ત=સુપાત્રને અપાયેલું દાન વદુર્મક્ષયક્ષમમ્=ઘણા કર્મનો ક્ષય કરવા સમર્થ છે. ।।૨૦।। શ્લોકાર્થ :
વળી સુપાત્રથી પોતાના ભવનિસ્તારની વાંછા ભક્તિ છે. તેના વડે સુપાત્રને અપાયેલું દાન બહુ કર્મનો ક્ષય કરવા સમર્થ છે. II૨૦ના ટીકા ઃ
भक्तिस्त्विति-भक्तिस्तु स्वस्य सुपात्रतो भवनिस्तारवाञ्छा । आराध्यत्वेन ज्ञानं भक्तिः, आराधना च गौरवितप्रीतिहेतुः क्रिया गौरवितसेवा चेत्येतदपि फलतो नैतल्लक्षणમતિશેતે । તયા=મવસ્યા, સુપાત્રાય વત્ત વતુર્મક્ષયે ક્ષમ=સમર્થ, મતિ ર૦।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org