SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દાનહાનિંશિકા/બ્લોક-૧૮ ૬૧ કરાવવાના પરિણામથી પુષ્ટ થયેલો છે. તેથી તે અધ્યવસાયથી બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય નિર્જરામાં પ્રતિબંધક નથી, તેથી તેવા પુણ્યબંધમાં સાધુને કોઈ દોષ નથી માટે અપવાદથી અનુકંપાદાન સાધુને ઈષ્ટ છે. II૧ળા અવતરણિકા : શ્લોક-૧૬માં પૂર્વપક્ષીએ કહેલ કે દાનથી ભોગની પ્રાપ્તિ છે અને તેથી ભવપરંપરા છે, માટે સાધુને અનુકંપાદાન ઈષ્ટ નથી. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – શ્લોક - भोगाप्तिरपि नैतस्मादभोगपरिणामतः। मंत्रितं श्रद्धया पुंसां जलमप्यमृतायते ।।१८।। અન્વયાર્થ - તસ્માઆનાથી=આપવાદિક અનુકંપાદાનથી મોકાતર =ભોગની પ્રાપ્તિ પણ ન=નથી. શ્રધ્ધા=શ્રદ્ધા વડે મંત્રિત મનપત્રમંત્રિત જળ પણ jણાં-પુરુષને સમૃતા=અમૃતનું કાર્ય કરે છે. ૧૮ શ્લોકાર્ચ - આપવાદિક અનુકંપાદાનથી ભોગની પ્રાપ્તિ પણ નથી. શ્રદ્ધાથી મંત્રિત જળ પણ પુરુષને અમૃતનું કાર્ય કરે છે. ll૧૮ll મોતિર’િ અહીં ‘’ થી એ કહેવું છે કે આપવાદિક અનુકંપાદાનથી મોક્ષના પ્રતિપંથી પુણ્યબંધની પ્રાપ્તિ તો નથી, પણ ભોગની પ્રાપ્તિ પણ નથી. અર્થાત્ બાહ્યથી ભોગની પ્રાપ્તિ હોવા છતાં મોતધારાની વૃદ્ધિ કરે તેવા ભોગની પ્રાપ્તિ પણ નથી. નત્તમપિ' અહીં ‘વ’ થી એ કહેવું છે કે અમૃત તો અમૃતનું કાર્ય કરે, પરંતુ મંત્રિત જળ પણ અમૃતનું કાર્ય કરે છે. તેમ સંયમ તો નિર્લેપદશાનું કારણ બને છે, પણ ભોગ પણ નિર્લેપદશાનું કારણ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy