________________
દાનદ્વાત્રિંશિકા/મ્લોક-૧૭
૫૯
આશય એ છે કે સાધક જ્યારે સર્વથા અસંગભાવમાં જાય છે, ત્યારે વીતરાગસંયમ પામે છે; પરંતુ જ્યાં સુધી વીતરાગસંયમની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી મોક્ષના અર્થી સાધકો પણ વીતરાગના વચન પ્રત્યેના રાગથી સંયમયોગમાં સુદૃઢ યત્ન કરે છે. આ સરાગસંયમની અવસ્થા છે, અને સરાગસંયમની અવસ્થામાં ભગવાનના વચનના રાગથી સંયમમાં સુદૃઢ યત્ન થાય છે, અને તે અવસ્થામાં સંયમનો પરિણામ નિર્જરા કરાવે છે અને સંયમ પ્રત્યેનો રાગાંશ આનુષંગિક પુણ્યાનુબંધીપુણ્યનો બંધ કરાવે છે; કેમ કે સરાગસંયમઅવસ્થામાં સાધુ જ્યારે પ્રાણાતિપાતવિરમણાદિ વ્રતોનું પાલન કરે છે, ત્યારે અહિંસા પ્રત્યેનો રાગ અને ભગવાનના વચન પ્રત્યેનો રાગ પુણ્યાનુબંધીપુણ્યનો બંધ કરાવે છે, તે પ્રકારે શાસ્ત્રવચનથી અવધારણ થાય છે; અને તે પુણ્યબંધ ધર્મનો હેતુ છે, સંસારવૃદ્ધિનો હેતુ નથી. અને જો તે પુણ્યાનુબંધીપુણ્ય ધર્મનો હેતુ ન હોય તો અર્થથી એમ કહેવું પડે કે સાધુએ જે સંયમનું પાલન કરીને પુણ્યાનુબંધીપુણ્યનો બંધ કર્યો, તે પુણ્યબંધ ભોગની પ્રાપ્તિ કરાવે છે, અને તે ભોગની પ્રાપ્તિથી મોહધારાની વૃદ્ધિ છે, તેથી તે પુણ્યબંધ અનર્થરૂપ છે. એટલું જ નહીં, પરંતુ તે પુણ્યબંધનું કારણ એવું સરાગસંયમ પણ અનર્થરૂપ છે.
વસ્તુતઃ સરાસગંયમનું પાલન વીતરાગસંયમનું કારણ છે. તેથી કેટલાક સાધકો આ ભવમાં પ્રથમ સરાગસંયમ પાળીને પછી વીતરાગસંયમ પામે છે અને અંતે તે ભવમાં સર્વ કર્મનો નાશ કરીને મોક્ષે પણ જાય છે; અને કેટલાક સાધકો આ ભવમાં સરાગસંયમ પાળીને પણ વીતરાગસંયમની શક્તિનો સંચય કરી શકતા નથી, તે જીવો તે સરાગસંયમથી બંધાયેલા પુણ્યાનુબંધીપુણ્યના ઉદયથી દેવલોકમાં જાય; અને ત્યાં પણ જેમ ભોગો ભોગવશે તેમ સંયમની શક્તિનો પણ સંચય કરશે અને જન્માંતરમાં પૂર્વના સંયમ કરતાં પણ વિશેષ સંયમની પ્રાપ્તિ ક૨શે અને અંતે વીતરાગસંયમ પણ પ્રાપ્ત કરશે. તેથી તે પુણ્યાનુબંધીપુણ્યના ઉદયે સાધકને એવી શક્તિવાળો દેવભવ અને ઉત્તમ મનુષ્યભવ આપ્યો કે જેમાં વીતરાગસંયમની શક્તિનો સંચય થયો. માટે પુણ્યાનુબંધીપુણ્ય પણ ધર્મનો હેતુ છે, તેમ કહેલ છે.
વળી યુક્તિથી સ્થાપન કરે છે કે આ પુણ્યાનુબંધીપુણ્ય મોક્ષનું પ્રતિપંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org