________________
પપ
દાનતાસિંશિકા/શ્લોક-૧૦ શ્લોકાર્ચ -
વળી દાન વડે ભોગની પ્રાપ્તિ છે. તેનાથી ભવની પરંપરા છે. ધર્મઅધર્મના ક્ષયથી મોક્ષ છે. એથી અનુકંપાદાન, મુમુક્ષને ઈષ્ટ નથી. II૧૬ો. ટીકા :
किञ्चेति - किञ्च दानेन हेतुना भोगाप्तिर्भवति ततो भवपरम्परा मोहधारावृद्धः । तथा धर्माधर्मयो:-पुण्यपापयोः, क्षयान्मुक्तिः, इति हेतोरदोऽनुकम्पादानं मुमुक्षोનૈદ તાદ્દા. ટીકાર્ય :
જિગ્ન વાન ... મુમુક્ષોનેંન્ટ” સાઉદ્દા ‘વિષ્ય’ શબ્દ સમુચ્ચય માટે છે. દાનરૂપ હેતુથી ભોગની પ્રાપ્તિ થાય છે. તેનાથી=ભોગની પ્રાપ્તિથી, મોહની ધારાની વૃદ્ધિ થવાથી ભવની પરંપરા છે અને પુણ્ય અને પાપરૂપ ધર્મ અને અધર્મના ક્ષયથી મોક્ષ છે. એ હેતુથી આ=અનુકંપાદાન, મુમુક્ષને ઈષ્ટ નથી. II૧૬. ભાવાર્થ :
શ્લોક-૧૪-૧૫માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી. તે વાતને બતાવતાં પૂર્વપક્ષી કહે છે – “કોઈ પણ વસ્તુ બીજાને આપવાથી પોતાને તે મળે' - તે પ્રકારનો ન્યાય છે. તેથી દાન આપવાથી પોતાને ભોગની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે તે ભોગની પ્રાપ્તિ થશે ત્યારે તે ભોગની પ્રવૃત્તિને કારણે મોહધારાની વૃદ્ધિ થશે, અને તે રીતે મોહ વધવાથી ભવપરંપરા વધશે. માટે દાન આપવું સાધુને ઉચિત નથી.
બીજી યુક્તિ આપતાં પૂર્વપક્ષી કહે છે કે પુણ્ય અને પાપરૂપ ધર્મ અને અધર્મના ક્ષયથી મોક્ષ થાય છે, અને સાધુ મોક્ષના અર્થી છે. તેથી પુણ્યબંધના કારણરૂપ અનુકંપાદાન સાધુને ઈષ્ટ નથી. I૧૬ાા અવતરણિકા :सिद्धान्तयति -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org