SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ દાનહાત્રિશિકા/શ્લોક-૧૬ કહેનારા શાસ્ત્રનું બાધન થાય. તેથી શાસ્ત્રબાધાના પરિવાર અર્થે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે. અહીં પ્રશ્ન થાય કે સાધુએ ચારિત્રની પ્રવૃત્તિમાં અપ્રમાદ કરવો જોઈએ. તેથી જે સાધુ સંયમમાં અપ્રમાદી હોય અને પ્રગટ ભોજન કરતા હોય અને તેના કારણે કોઈ જીવને પીડા થાય, તો સાધુને શું દોષ થાય ? અર્થાત્ સાધુને કોઈ દોષ લાગે નહીં. તેના નિવારણ માટે કહે છે કે રાગ-દ્વેષ એ ચારિત્રના વિરોધી છે, તેમ શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિમાં શક્તિને ગોપવવાથી પણ ચારિત્રનો બાધ થાય છે; અને ભગવાનનું વચન પરની પીડાના પરિવાર માટે ઉપદેશ આપે છે, અને તે પ્રમાણે પરની પીડાના પરિવાર અર્થે પ્રચ્છન્ન ભોજન ન કરવામાં આવે તો સાધુ ઉચિત પ્રવૃત્તિમાં શક્તિને ગોપવે છે, તેથી સાધુને ચારિત્રનો બાધ થાય. તેથી એ ફલિત થાય કે જેમ સાધુ રાગ-દ્વેષને વશ થઈ કોઈ પ્રવૃત્તિ કરે તો ચારિત્રનો બાધ થાય, તેમ શાસ્ત્રાનુસારી ઉચિત ક્રિયાઓમાં પણ શક્તિને ગોપવે તોપણ ચારિત્રનો બાધ થાય. II૧૪૧પ અવતરણિકા - શ્લોક-૧૪-૧૫માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી, તેથી અપવાદથી પણ પુણ્યબંધના કારણરૂપ દાન ઈષ્ટ નથી. હવે તે જ વાતને અન્ય યુક્તિથી દઢ કરવા માટે “વિ ર’ થી પૂર્વપક્ષી કહે છે - શ્લોક : किञ्च दानेन भोगाप्तिस्ततो भवपरम्परा । धर्माधर्मक्षयान्मुक्तिर्मुमुक्षोर्नेष्टमित्यदः ।।१६।। અન્વયાર્થ : વિશ્વાનવળી દાન વડે મોતિ=ભોગની પ્રાપ્તિતત તેનાથીeભોગવી પ્રાપ્તિથી ભવપરપરા=ભવની પરંપરા છે. ધર્મધર્મક્ષયાત્રધર્મ-અધર્મના ક્ષયથી મુક્તિ મોક્ષ છે. રૂતિ એથી આ અનુકંપાદાન મુમુક્ષો મુમુક્ષને ને ઈષ્ટ નથી. ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy