________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૧
આશય એ છે કે જ્યાં પુષ્ટાલંબન નથી, ત્યાં સાધુને દુઃખીનાં દુઃખ દૂર કરવાનો આશય હોવા છતાં તેની સંસારની પ્રવૃત્તિમાં સહાય કરવાનો અધ્યવસાય પણ અર્થથી પ્રાપ્ત થાય છે. તેથી સંસારના આરંભ-સમારંભમાં સહાયક થવું તે સાધુ માટે ઉચિત આચાર નથી, પરંતુ અવિરતિના પોષણરૂપ તે ક્રિયા છે. તેથી સાધુનું તે દાન અધિકરણ બને છે; પરંતુ જ્યારે સામેના પાત્રને બીજાધાનની પ્રાપ્તિ થાય તેમ હોય, અને તેના દ્વારા સમ્યક્ત્વ અને ક્રમે કરીને સર્વવિરતિની પ્રાપ્તિ થાય તેમ હોય, ત્યારે સાધુ પોતાનું વસ્ત્રદાન આપે તોપણ તે અધિકરણ બનતું નથી; કેમ કે સામા જીવને સંસારથી નિસ્તાર કરવાનો આ પ્રબળ ઉપાય છે.
૪૪
આ રીતે શ્લોકના પૂર્વાર્ધથી કારણિક યતિદાન અધિકરણ નથી તે બતાવ્યું. હવે શ્લોકના ઉત્તરાર્ધથી એ બતાવે છે કે, કારણિક યતિદાન જે જીવને અપાય છે, તે જીવને મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકથી અન્ય સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ છે અને તે સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનક પણ સર્વવિરતિ આદિ ગુણસ્થાનકનું કારણ છે. તેથી કાણિક યતિદાન સામા જીવને સર્વવિરતિ આદિ પ્રાપ્ત કરાવીને સંસારના નિસ્તારનું કારણ છે.
આશય એ છે કે ભગવાને બ્રાહ્મણને વસ્ત્ર આપ્યું, તે વસ્ત્રના નિમિત્તને પામીને બ્રાહ્મણને બીજાધાનની પ્રાપ્તિ થઈ, જે બીજાધાન સામગ્રી મળતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવશે, અને સમ્યકૃત્વની પ્રાપ્તિ ક્રમે કરીને સર્વવિરતિની પ્રાપ્તિ કરાવશે, અને આ રીતે તે બ્રાહ્મણનો જીવ આ સંસારથી પારને પામશે. તેથી જેમ ભગવાને પુષ્ટાલંબનથી વસ્ત્રનું દાન આપ્યું, તેમ કોઈપણ ગીતાર્થ સાધુ તેવું પુષ્ટાલંબન દેખાતું હોય તો વસ્ત્રાદિનું દાન કરે તો તે વસ્ત્રાદિદાન અધિકરણ તો ન બને, પરંતુ તે વસ્ત્રાદિનું દાન સામાજીવની ગુણપરંપરાનું પ્રબળ કારણ બને. માટે સાધુને પુષ્ટાલંબનથી અનુકંપાદાનનો નિષેધ નથી.
અહીં કારણિક યતિદાન બીજાધાનનું કારણ છે, એટલું જ ન કહેતાં એમ કહ્યું કે, સર્વવિરતિ આદિ ગુણાંતરના કારણ એવા સમ્યક્ત્વાદિ ગુણસ્થાનનું કારણ છે. તેથી એ બતાવવું છે કે આ અનુકંપાદાન સર્વવિરતિરૂપ ફળની પ્રાપ્તિ કરાવનાર હોવાથી સાવઘ નથી, પરંતુ સાધુ માટે નિરવઘ છે.
॥૧૧॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org