SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. દાનહાનિંશિકા/બ્લોક-૯ ટીકાર્ય : સત વ ... રૂત્તિ T . આથી જ=કાળે અલ્પનું પણ લાભાર્થપણું હોવાના કારણે જ, દાનનું અનુકંપાદાનનું, ઘમગપણું સ્પષ્ટ કરવા માટે ભગવાને પણ વ્રતને ગ્રહણ કરતાં એક વર્ષ ધન આપ્યું; તતડ્યુ અને તે કારણથી મહત-મોટા પુરુષ વડે, ધર્મના અવસરે સેવાયેલું અનુષ્ઠાન અવસ્થાના ઔચિત્યના યોગથી સર્વપ સર્વ જીવોને પણ, ધર્માગ છે, એ પ્રમાણે સ્પષ્ટ થાય છે, એ પ્રકારનો ભાવ છે=શ્લોકનો ભાવ છે. તેને કહે છે=મહાપુરુષ વડે સેવાયેલું સર્વ જીવોને માટે ધર્મનું અંગ થાય છે, તેને કહે છે – “અવસ્થાના ઔચિત્યના યોગથી સર્વ જીવોને પણ દાનની પણ ધર્માગતા વ્યાપન કરવા માટે=જણાવવા માટે, મહામતિ એવા ભગવાને અનુકંપાથી=કૃપાથી, એક વર્ષ ધન આપ્યું.” તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. નોંધ:- “સંવત્સર વહુ હતી’=એક વર્ષ ધન આપ્યું એ શબ્દ અધ્યાહાર છે. ઘ ધ્યાનાર્થ” આ શબ્દમાં “ઘ' શબ્દ ‘ઘાતા' અર્થમાં છે. અર્થાત્ ભાવ અર્થમાં છે. ‘ાનચાપ’ અહીં ક થી શીલનો સમુચ્ચય કરવો. સર્વર્ચવાનુ૫યા’ અહીં વાર’ ‘પિ' અર્થમાં છે. તેથી શ્રાવકોને તો દાન ધર્મનું અંગ છે, પરંતુ યતિને પણ દાન ધર્મનું અંગ છે, તેનો સમુચ્ચય કરે છે. ભાવાર્થ ભગવાનની પૂજા આદિ સમયે અનુકંપાદાન ઘણા જીવોને બીજાધાનનું કારણ બને છે. વળી તેવું કોઈ કારણ હોય તે વખતે કરાયેલી દાનશાળા ઘણા જીવોને બીજાધાનનું કારણ બને છે. તેથી ઉચિતકાળે કરાયેલું અનુકંપાદાન ધર્મનું અંગ છે, એ સ્પષ્ટ કરવા માટે ભગવાને પણ એક વર્ષ સુધી ધન આપ્યું. ભગવાનની આ પ્રવૃત્તિથી એ ફલિત થાય છે કે મોટા પુરુષો વડે ધર્મના અવસરે જે આચરાયેલું હોય તે બધા જીવોને માટે પણ ધર્મનું અંગ છે. ફક્ત તે પોતાની અવસ્થાને અનુરૂપ પ્રવૃત્તિ હોવી જોઈએ, જેથી સર્વના ભાવોની વૃદ્ધિ થાય. આશય એ છે કે જેમ ભગવાને સંયમ ગ્રહણ કરતી વખતે ધનદાન આપ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy