________________
૩૮
દાનહાત્રિશિકા/શ્લોક-૧૦ તેવું ધન સામાન્ય વ્યક્તિ આપી શકે નહીં, પરંતુ પોતાની જે પ્રકારની આર્થિક પરિસ્થિતિ હોય, કૌટુંબિક સંયોગો હોય, તે સર્વનો વિચાર કરીને દાન કરે તો તે દાન કોઈના ક્લેશનું કારણ ન બને અને યોગ્ય જીવોને બીજાધાનની પ્રાપ્તિનું પણ કારણ બને; અને તેવું દાન ધર્મનું અંગ છે, એ પ્રકારનો ભાવ ભગવાનના વર્ષીદાનથી ફલિત થાય છે.'
વળી જેમ દીક્ષાના પ્રસંગમાં અવસ્થા અનુસાર અનુકંપાદાન ઈષ્ટ છે, તેમ અન્ય પણ ધર્મપ્રસંગોએ અવસ્થા અનુસાર અનુકંપાદાન ઈષ્ટ છે. III અવતરણિકા :
नन्वेवं साधोरप्येतदापत्तिरित्यत आह - અવતરણિકાર્ય :
પૂર્વપક્ષી નન' થી શંકા કરે છે કે આ રીતે પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે અનુકંપાદાન ધર્મનું અંગ છે એ રીતે, સાધુને પણ આનીઅનુકંપાદાનતી, આપત્તિ છે. એથી કહે છે – ભાવાર્થ :
સામાન્ય રીતે સાધુ અનુકંપાદાન કરતા નથી, તે વાત પ્રસિદ્ધ છે. તેને સામે રાખીને “નનુ' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે તમે અનુકંપાદાનને ધર્મના અંગરૂપે સ્થાપન કર્યું એ રીતે સાધુને પણ અનુકંપાદાન કરવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષીની એ પ્રકારની શંકાના નિવારણ માટે ગ્રંથકાર કહે છે –
‘સાધોરપિ” અહીં ” થી એ કહેવું છે કે શ્રાવકને તો અનુકંપાદાનની પ્રાપ્તિ છે, પણ સાધુને પણ અનુકંપાદાન સ્વીકારવાની આપત્તિ છે. શ્લોક :
साधुनापि दशाभेदं प्राप्यैतदनुकम्पया ।
दत्तं ज्ञाताद् भगवतो रंकस्येव सुहस्तिना ।।१०।। અન્વયાર્થ:ભવિત: જ્ઞાતા=ભગવાનના દષ્ટાંતથી મુક્તિના સંવચ્ચેવ સુહસ્તિ મહારાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org