________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૭
ભેદથી=શ્લોકમાં કહેલ ક્ષેત્રાદિના ભેદથી, વળી નિશ્ચયથી નિશ્ચયનયથી ભાવના વૈચિત્ર્યથી જ=ભાવના ભેદથી જ, ફળભેદ છે, એ પ્રમાણે તત્ત્વ
||૭||
૩૨
છે.
જૈ ‘ક્ષેત્રાહિ’=‘પાત્રાલિ’ ‘ક્ષેત્ર’ શબ્દ ધનના વપનનું=વાવવાનું, ક્ષેત્ર=પાત્ર, છે, તે બતાવવા માટે ટીકામાં પાત્રનું ગ્રહણ છે, અને અહીં‘વિ’ થી ચિત્ત અને વિત્ત=ધનનું ગ્રહણ કરવું.
ભાવાર્થ :
વ્યવહારનયથી પાત્રાદિના ભેદથી ફળભેદ :
વ્યવહારનય પાત્ર, ધન અને ચિત્ત એ ત્રણેના ભેદથી અનુકંપાદાનના ફળનો ભેદ સ્વીકારે છે. તેથી આચાર્ય પ્રત્યે અનુકંપા થયેલી હોય, ગચ્છ પ્રત્યે અનુકંપા થયેલી હોય અને સંસારના અન્ય જીવો પ્રત્યે અનુકંપા થયેલી હોય તો તે અનુકંપાના પાત્રના ભેદથી ફળનો ભેદ સ્વીકારે છે. તેમ ધનના વ્યયના ભેદથી પણ ફળભેદ સ્વીકારે છે અર્થાત્ પાત્રમાં અધિક ધન વ્યય કર્યું હોય તો અધિક ફળ થાય છે અને અલ્પ ધન વ્યય કર્યું હોય તો અલ્પ ફળ થાય છે. વળી તે પાત્ર અને ધનવ્યયના કાળમાં ચિત્તના=અધ્યવસાયના, ભેદથી પણ ફળભેદ સ્વીકારે છે; જ્યારે નિશ્ચયનય તો ભાવના=અધ્યવસાયના, ભેદથી જ ફળનો ભેદ સ્વીકારે છે. આ પ્રકારનું વ્યવહારનયની અને નિશ્ચયનયની દૃષ્ટિનું તત્ત્વ છે.
અહીં વિશેષ એ છે કે વ્યવહારનય પ્રમાણે આચાર્યાદિમાં કરાયેલી અનુકંપા અધિક ફળવાળી છે અને ચતુર્વિધ સંઘમાં રહેલા શ્રાવક આદિની અનુકંપા તેનાથી હીન ફળવાળી છે. આ પ્રકારે વ્યવહારનય પાત્રના ભેદથી ફળનો ભેદ સ્વીકારે છે. વળી અનુકંપાકાળમાં જેટલો ધનવ્યય અધિક તેટલું ફળ અધિક તેમ પણ વ્યવહારનય સ્વીકારે છે. વળી ભાવના પ્રકર્ષને પણ ફળભેદના કારણરૂપે વ્યવહારનય સ્વીકારે છે.
વળી નિશ્ચયનય તો કહે છે કે આચાર્યની અનુકંપાના કાળમાં જે ભાવ વર્તે છે, તેના કરતાં ભગવાનની પૂજાના કાળમાં શ્રાવકને અનુકંપાનો પ્રકર્ષવાળો ભાવ હોય તો અર્થાત્ “આ જગતના જીવો ભગવાનના શાસનને પામીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org