________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૫/૬
૨૦
બીજાધાનાદિ દ્વારા મહાઅહિંસાનું કારણ બને તેવી ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવો જીવોના હિતનો પરિણામ હોય છે. જ્યારે જે જીવોને હજુ સમ્યક્ત્વ પ્રગટ્યું નથી, તેવા જીવો કદાચ વિચારે કે ‘મારી આ દાનશાળાના નિમિત્તને પામીને લોકો સંયમના પરિણામને પ્રાપ્ત કરો' તોપણ તે સ્વયં સંયમના પારમાર્થિક સ્વરૂપને સમજેલા નહીં હોવાથી, પોતાની સમજ અનુસાર લોકોને માટે સંયમની પ્રાપ્તિનો અધ્યવસાય કરે, તોપણ સમ્યગ્દષ્ટિ જીવ જેવો અનુકંપાનો અધ્યવસાય, વેઘસંવેદ્યપદમાં નહીં રહેલા જીવો=મિથ્યાદૃષ્ટિ જીવો, કરી શકતા નથી. તેને સામે રાખીને અહીં ગ્રંથકારે કહ્યું કે તેવા પ્રકારના આશયનું પાત્ર વેદ્યસંવેદ્યપદસ્થ જીવ છે, અન્ય નહીં.
‘વેદ્યસંવેદ્યપદ’ના અર્થની જિજ્ઞાસાવાળાએ ‘યોગદૃષ્ટિસમુચ્ચયગ્રંથ' શ્લોક-૭૩ જોવો અને તેનું વિશેષ વર્ણન અમારા વડે લખાયેલ ‘યોગદૃષ્ટિસમુચ્ચયગ્રંથ'માંથી મળશે.
વળી તેવા પ્રકારના આશયનો અનુગમ જ નિશ્ચયથી અનુકંપા છે, એમ ટીકામાં કહ્યું. તેનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવ પારમાર્થિક રીતે સંવૃત ગાત્રવાળા, સંવૃત મનવાળા અને સંવૃત વચનવાળા એવા ચારિત્રના ભાવને જોઈ શકે છે, અને ‘તેવો ચારિત્રનો ભાવ જગતના જીવોને પ્રાપ્ત થાઓ,' તેવા આશયપૂર્વક પુષ્ટાલંબનને આશ્રયીને દાનશાળાદિકૃત્યમાં પ્રવૃત્તિ કરે છે. તેથી તેવાઓની વિવેકપૂર્વકની દાનશાળાદિ પ્રવૃત્તિમાં લોકોને ‘ભાવથી સંયમ પ્રાપ્ત થાઓ' તેવા આશયનું અનુસરણ વર્તે છે અને તેવા આશયને નિશ્ચયનય અનુકંપા કહે છે; કેમ કે ‘કોઈ જીવોના દુ:ખને જોઈને દુઃખના ઉદ્ધારની ઈચ્છા તે અનુકંપા છે.’ એ નિયમ પ્રમાણે જે સંસારી જીવો આ સંસારના પરિભ્રમણરૂપ દુઃખમાં પડચા છે, તે દુ:ખોમાંથી તેઓનો ઉદ્ધાર કરાવવા અર્થે ‘તે જીવોને સંયમની પ્રાપ્તિ કેમ થાય, કે જેથી તેઓ સદા માટે સર્વ દુઃખથી રહિત એવા મોક્ષસુખને પામે,' તેવા શુભાશયપૂર્વક તેઓ દાનશાળાદિમાં પ્રવૃત્તિ કરે છે અને આવો દયાનો પરિણામ પારમાર્થિક અનુકંપા છે. તે સિવાયનો માત્ર દુ:ખી જીવોના દુઃખનો ઉદ્ધાર કરવા અર્થે ઘણા આરંભ-સમારંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org